ભક્તે પૂછ્યું ‘પ્રભુ આ પથ્થર પસંદ કેમ કર્યો?’ વાંચો ભગવાન અને ભક્તનો રોચક સંવાદ.

0
498

વાયુ વાદળ સૂરજ ચંદર, વ્યોમ ભોમ પાતાળ ની અંદર;

પછી ભલે હોય મસ્જીદ કે મંદર, પણ સત્ત તત્ત્વમાં તું જ નિરંતર

નિરાકાર છતાં સાકાર થઈ, તું ઠરી ઠરી પાષાણ ઠર્યો;

માટે કહે ને ઓ કરુણાનાં સાગર, આ પથ્થર પસંદ તે કેમ કર્યો

ભાવે સ્વભાવે નોખા ન્યારા, ફૂલ અને પથ્થર વચ્ચે અંતર;

કદી ફૂલ મરે પાષાણની નીચે, પણ તું ફૂલ નીચે પાષાણ મર્યો

પાષાણ નું હૈયું ખોલી, મંદિર ભરની મૂર્તિ ડોલી;

શિલાનો શણગાર સજી, સર્જનહાર હસી ઉછર્યો

સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં કેમ કર્યો !

રામ બનીને માનવ કુળમાં, હું આ જગત માં અવતર્યો;

ત્યારે ફૂલ ઢગ જે મેં કચર્યો, તે આજે મારે શિર ધર્યો

સીતાને લઈને, રાવણ જયારે લંકા પાર ફર્યો;

ત્યારે આ માનવ કોઈ મને કામ ન આવ્યા;

આ પથ્થરથી હું સામે પાર ઉતર્યો,

સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં આમ કર્યો…

(લેખનું નામ ખબર નથી.)

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)