કાવ્ય યાત્રા :
જીવનની ફિલસૂફીની ઉત્તમ રચના
આપણાથી થાય એટલું કરવાનું
– અજ્ઞાત
પહેલાં તન તોડીને રળવાનું
પછી વિલ બનાવી વંહેચવાનું!
આયખું આખુ આમાં ખર્ચવાનુ,
એ પાછું ક્યાંથી મળવાનું?
એના કરતાં થાય એટલું કરવાનું.
પારિજાત ભરેલી રાત છું તો,
સવારે નિશ્ચિત છે ખરવાનું!
સમષ્ટિમાં નહીં પહોંચી વળાય,
આપણાથી થાય એટલું કરવાનું.
એક ઈશ્વર – એક નિયંતા,
શાને બીજાથી ડરવાનું?
ખાલી થયાની મજા છે અલગારી-
ઝાઝું ઝાઝું કાંઈ નહીં ભરવાનું.
આપણાથી, થાય એટલું કરવાનું..
ફરતું બ્રહ્માંડ, ફરતા નક્ષત્રો
આપણેય મોજમાં ફરવાનું!
ભીતર સ્થિર રહીને મહાલીએ,
બહાર – બીજાને નહીં નડવાનું.
આપણાથી થાય એટલું કરવાનું.
મોજમાં રહેવાનું, જોશમાં જીવવાનું,
ખાલી મો તઆવે ને ત્યારે જ મરવાનું!
રોજે રોજ ક્રોધ કે સંતાપ ત્યજીને,
જીવન જ અમૃત બને એમ ઠરવાનું,
આપણાથી, થાય એટલું કરવાનું.
નોંધ – આપનાં શબ્દોમાં યોગ્ય પ્રતિભાવ આપશોજી.
સંકલન – પારેખ લાલજીભાઈ. જ્ઞાનમંદિર વિદ્યાપીઠ તરઘરા (બોટાદ).