ચૈત્ર નવરાત્રી પર આ વર્ષે 110 વર્ષો પછી બની રહ્યા છે મહાસંયોગ, જાણો એવું શું ખાસ છે.

0
355

હિંદુ કેલેન્ડર મુજબ વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. ચૈત્ર શુક્લ પ્રતિપદા(એકમ) થી શક્તિ આરાધનાનો મહા પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યો છે અને આ દિવસથી નવા વર્ષનો પણ પ્રારંભ થાય છે. આ વખતે નવરાત્રિમાં ચાર યોગોનો વિશેષ સમન્વય થઈ રહ્યો છે. નવરાત્રિના આખા 9 દિવસ સાથે માતાનું આગમન હોડી પર થશે અને ડોલીમાં પ્રસ્થાન થશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રીના શુભ મુહૂર્ત :

આ વખતે જ્યોતિષ પંડિત દીપક માલવિયાએ નવરાત્રી પર થનારા વિશેષ મહાસંયોગ વિશે જણાવ્યું કે તે ખૂબ જ ખાસ છે. આ વખતે ચૈત્ર મહિનાની નવરાત્રિ 22 માર્ચ, બુધવારથી શરૂ થઈ રહી છે, જે 30 માર્ચ સુધી રહેશે. જે સંપૂર્ણ 9 દિવસની નવરાત્રિ છે. આ વખતે તિથિઓમાં કોઈ વધઘટ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે એકમ તિથિ 21 માર્ચની રાત્રે 11:04 વાગ્યે થશે. એટલા માટે નવરાત્રિ 22 માર્ચે સૂર્યોદય સાથે કળશ સ્થાપના સાથે શરૂ થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે માતાનું આગમન હોડી પર છે, જેને સુખ-સમૃદ્ધિનું કારક કહેવાય છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. તેમણે નવરાત્રિના સંયોગ વિશે જણાવ્યું કે નવરાત્રિમાં ચાર ગ્રહોનું પરિવર્તન જોવા મળશે. આ સંયોગ 110 વર્ષ પછી બની રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ પૃથ્વીની રચના કરી હતી. તેથી તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આ વર્ષનો રાજા બુદ્ધ અને મંત્રી શુક્ર રહેશે. જેના કારણે આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિની અનેક તકો ઉભી થશે અને મહિલાઓનો વિશેષ ઉત્કર્ષ પણ આ વર્ષે જોવા મળશે.

ચૈત્ર નવરાત્રી પૂજા પદ્ધતિ :

કળશ સ્થાપનની વિધિ શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારપછી કોઈ સ્વચ્છ જગ્યાએ લાલ રંગનું કપડું પાથરીને માતા રાણીની મૂર્તિની સ્થાપના કરો. આ કપડા પર થોડા ચોખા મૂકો. માટીના વાસણમાં જવ વાવો. આ વાસણ પર પાણી ભરેલું કળશ સ્થાપિત કરો. કળશ પર સ્વસ્તિક બનાવો અને તેના પર નાડાછડી બાંધો.

કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત(ચોખા) મૂકીને આસોપાલવના પાન રાખો. એક નાળિયેર લો અને તેના પર ચૂંદડી લપેટીને તેને નાડાછડીથી બાંધી દો. આ નારિયેળને કળશ પર રાખીને દેવી દુર્ગાનું આહ્વાન કરો. આ પછી દીવો વગેરે પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા માટે સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અથવા માટીના કળશની સ્થાપના કરવામાં આવે છે.

માઁ દુર્ગાના કયા સ્વરૂપની પૂજા કયા દિવસે કરવામાં આવશે?

1 – નવરાત્રિનો પ્રથમ દિવસ 22 માર્ચ 2023 દિવસ બુધવાર : માઁ શૈલપુત્રી પૂજા (ઘટસ્થાપન)

2 – નવરાત્રિનો બીજો દિવસ 23 માર્ચ 2023 દિવસ ગુરુવાર : માઁ બ્રહ્મચારિણી પૂજા

3 – નવરાત્રી ત્રીજો દિવસ 24 માર્ચ 2023 દિવસ શુક્રવાર : માઁ ચંદ્રઘંટા પૂજા

4 – નવરાત્રીનો ચોથો દિવસ 25 માર્ચ 2023 દિવસ શનિવાર : માઁ કુષ્માંડા પૂજા

5 – નવરાત્રીનો પાંચમો દિવસ 26 માર્ચ 2023 દિવસ રવિવાર : માઁ સ્કંદમાતા પૂજા

6 – નવરાત્રી છઠ્ઠો દિવસ 27 માર્ચ 2023 દિવસ સોમવાર : માઁ કાત્યાયની પૂજા

7 – નવરાત્રીનો સાતમો દિવસ 28 માર્ચ 2023 દિવસ મંગળવાર : માઁ કાલરાત્રી પૂજા

8 – નવરાત્રીનો આઠમો દિવસ 29 માર્ચ 2023 દિવસ બુધવાર : માઁ મહાગૌરી પૂજા

9 – નવરાત્રી નવમો દિવસ 30 માર્ચ 2023 દિવસ ગુરુવાર : માઁ સિદ્ધિદાત્રી

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.