જાણો વામન ભગવાનના નામ કરણ અને ઉપવિત સંસ્કારના અદ્દભુત પ્રસંગ વિષે.

0
471

ત્રિલોક ના કલ્યાણ અર્થ જયારે ભગવાને કશ્યપમુની તેમજ દેવોની માતા અદિતીના પુત્ર તરીકે અવતાર લીધો ત્યારે નામકરણ ની વિધી કશ્યપમુની એ પોતે કરી હતી.

સમગ્ર દેવગણો કશ્યપમુની ના આશ્રમમાં વામન ભગવાન ના દર્શન કરવા આવ્યા હતા.

નામકરણ વિધી થી કશ્યપમુની એ કહ્યું કે, હે અદિતી ના સહુ થી નાના પુત્ર, આજથી તમે વામન ના નામે આ જગત મા ઓળખાશો. ને ઇન્દ્ર ના નાના ભાઈ હોવાથી તમે ઉપેન્દ્ર પણ કહેવાશો.

એ પછી ઉપવિત ના સંસ્કારો વખતે સૂર્ય દેવે ગાયત્રી નો ઉપદેશ કર્યો,

બૃહસ્પતિએ જનોઇ પહેરાવી,

કશ્યપમુની એ મૂંજ ઘાસનો કંદોરો પહેરાવ્યો,

અદિતી માતાએ એ લંગોટી બાંધી,

પૃથ્વીદેવીએ મૃગચ ર્મ વીટ્યુ,

ચંદ્ર દેવે દંડ આપ્યો,

આકાશે છત્ર આપ્યું,

સપ્તર્ષિઓ એ દર્ભ તેમ જ બહ્મા દેવ ની પ્રેરણાથી વામન ના હાથમાં કમંડલુ આપ્યું,

કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું,

ભગવતી દેવી દુર્ગા માતાએ ભિક્ષા આપી.

એ બટુક સ્વરૂપ ના વામન ભગવાન ના અદ્દભુત તેજ ના દર્શન કરી ઋષિઓ ભગવાની સ્તુતિ કરી.

અણુવાર્મનનામાડસી યતસ્તવ વામનાખ્યયા.!!

મનનાન્મુરિરેવાસી યમનાદ્ યતિરૂચ્યસે.!!

આપણી સંસ્કૃતિ આપણો વારસો

– જયુભા ઝાલા (અમર કથાઓ ગ્રુપ)