જાણો ભજનનો ઇતિહાસ, કેમ કહેવાય છે ભજનને ભક્તિનો માર્ગ. ભજનનો ઈતિહાસ : ભજનોનો ઈતિહાસ વૈદીક કાળથી આજ સુધી અધમ ધારા તરીકે પ્રવાહિત થઇ રહી છે. ભજનના ઈતિહાસમાં સામવેદના શ્લોક અને ઋચાઓનું સામગાન કરવું, વેદગાનના માધ્યમથી પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું ભજનોના પ્રારંભિક ઈતિહાસમાં જોડાયેલું છે. ભજનોના ઈતિહાસમાં ‘નવધા ભક્તિ’ નું વિશેષ સ્થાન છે. પ્રાચીન શાસ્ત્રોમાં ભક્તિના નવ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. જેને ‘નવધા ભક્તિ’ કહેવામાં આવે છે.
(1) શ્રવણ (પરીક્ષિત)
(2) કીર્તન (શુક્રદેવ)
(3) સ્મરણ (પ્રહલાદ)
(4) પાદસેવમ (લક્ષ્મી)
(5) અર્ચન (પૃથુરાજા)
(6) વંદન (અક્રૂર)
(7) દાસ્ય (હનુમાન)
(8) સખ્ય (અર્જુન)
(9) આત્મનિવેદન (રાજાબલી)
(1) શ્રવણ – ઈશ્વરની શક્તિ, સ્ત્રોત, કથા, મહત્વ અને લીલાને પરમ શ્રદ્ધા સહીત મનથી નિરંતર શ્રવણ કરવું.
(2) કીર્તન – ઈશ્વરના ચરિત્ર, નામ, પરાક્રમ, ગુણનો આનંદ અને ઉત્સાહ ભક્તિમય ભજન કીર્તન કરવા.
(3) સ્મરણ – તમારું મન મસ્તિકમાં નિરંતર અનન્ય ભાવથી પરમ બ્રહ્મનું સ્મરણ કરવું અને મહાત્મ્ય અને શક્તિનું સ્મરણ કરીને તેને આધીન થવું.
(4) પાદસેવક – ભગવાનના શ્રી ચરણોમાં આશ્રય લેવો અને તેને પોતાના સર્વસ્વ સમજવા.
(5) અર્ચન – મન, વચન અને કર્મ દ્વારા પવિત્ર સામગ્રી સાથે ભગવાનના ચરણોમાં અર્પિત કરવું.
(6) વંદન – ઈશ્વરની મૂર્તિ અથવા ઈશ્વરના અંશ રૂપમાં વ્યાપ ભક્તિજન, સંતજન, અચારૂ, ગુરુજન, માતા-પિતા વગેરેનો પરમ આદર સત્કાર સહીત પવિત્ર મન ભાવથી ભક્તિ કરવી.
(7) દાસ્ય – ઈશ્વર કે ભગવાનને પોતાના સ્વામી અને પોતાને ઈશ્વરના દાસ સમજીને પરમ શ્રદ્ધા સાથે સેવા કરવી.
(8) સખ્ય – ભગવાનને પોતાના પરમ સખા સમજીને પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને તથા સાચા મન ભાવથી નિવેદન કરવું.
(9) આત્મનિવેદન – ઈશ્વરના શ્રી ચરણોમાં પોતાને સદા માટે સમર્પિત કરવા, અને પોતાની કોઈ સ્વતંત્રતા ન રાખવી. તે ભક્તિની સૌથી મોટી ઉત્તમ સ્થિતિ માનવામાં આવે છે.
ભજનનો ઈતિહાસ :
અનાદી કાળમાં ગંધર્વ, દેવતાઓએ અહિયાં ભાવસંગીત ગાન કરતા હતા. આધુનિક કાળમાં ભજનોને બે ભાગમાં જોવામાં આવ્યા.
(1) નિર્ગુણ ભક્તિ શાખા
(2) સગુણ ભક્તિ શાખા
(1) નિર્ગુણ ભક્તિ શાખા : નિર્ગુણ ભક્તિ શાખાના પવર્તક કાશીમાં 15 મી સદીમાં જન્મેલા ભારતીય રહસ્યવાદી સંત કબીર દાસ હતા. તે હિન્દી સાહિત્યના ભક્તિ કાલીન યુગમાં જ્ઞાનાશ્રયી – નિર્ગુણ શાખાની કાવ્યધારાના પ્રવર્તક હતા. તેની રચનાઓએ ભક્તિ આંદોલનને ઊંડાણ સુધી પ્રભાવિત કરી. તેની રચનાઓ – શાખી, સબદ, રમૈની.
(2) સગુણ ભક્તિ શાખા : ભજનોના ઈતિહાસમાં સગુણ ભક્તિ શાખામાં સુરદાસ, તુલસીદાસ, મીરાંબાઈનું નામ વિશેષ રીતે આવે છે.
સુરદાસ : ભજનોના ઈતિહાસમાં સુરદાસજીનું મુખ્ય સ્થાન છે. 1583 માં જન્મેલા વ્રજભાષાના મહાકવિ સુરદાસનો મુખ્ય સંગ્રહ શ્રી કૃષ્ણ માધુરી, સુરસાગર, સુરસુરાવલી, સાહિત્ય લહરી, નળદમયંતી, બ્યાહલો છે.
તુલસી દાસ : ભજનોના ઈતિહાસમાં સગુણ ભક્તિ શાખાના મહાન કવી ગોસ્વામી તુલસીદાસજીનું વિશેષ સ્થાન છે. 1589 ઉત્તર પ્રદેશમાં જન્મેલા ગોસ્વામી તુલસીદાસનું નમ રામ ભક્તિથી જાગૃત થયું. તુલસીદાસ દ્વારા રચિત રચનાઓ – રામ ચરિત્ર માનસ, વિનય પત્રિકા, દોહાવલી, કવિતાવલી, હનુમાન ચાલીસા, વૈરાગ્ય, સન્દીપની, જાનકી મંગળ વગેરે છે.
મીરાંબાઈ : 1498 ની આસપાસ જન્મેલી, કૃષ્ણ ભક્તિ શાખાની મીરાબાઈ મુખ્ય કવીયીત્રી થઇ. ભક્તિના રંગમાં રંગાઈને મીરાબાઈએ સ્ફુટ પદોની રચના કરી. સંગ્રહ – બરસી કા માયરા, ગીત ગોવિંદ ટીકા, રામગોવિંદ, રાગ સોરઠ વગેરે.
આ રીતે ભજનોના ઈતિહાસમાં વૈદિક કાળથી લઈને આજ સુધી અધમ ધારાના રૂપમાં ક્યારે પણ ન અટકનારી નિરંતર ભક્તિ કાવ્ય ધારા વહેતી રહેશે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.