લાકડાંના ઘર બનાવતા એક કારીગરના જીવનનો આ કિસ્સો આપણને જીવનમાં અત્યંત ઉપયોગી વાત શીખવે છે.

0
358

એક કારીગર સુંદર લાકડાં ના ઘર બનાવતો હતો. વૃદ્ધ થવા પર તે કામ છોડવા ઈચ્છતો હતો. માલિકે તેને છેલ્લું મકાન બનાવવાનું કહ્યું. કારીગરે ઉતાવળ માં મકાન બનાવી દીધું. પરંતુ હકીકત જાણ્યા પછી તેને ખૂબ જ દુઃખ થયું, જાણો શું થયું હતું.

કોઈ ગામ માં એક કારીગર રહેતો હતો. તે લાકડાં ના મકાન બનાવતો હતો. તે પોતાના કામમાં એટલો નિપુણ હતો કે દુર દુર સુધી તેની પ્રસિદ્ધિ હતી. તે એક અમીર વ્યક્તિ ને ત્યાં નોકરી કરતો હતો.

કારીગરે ખૂબ શાનદાર ઘર બનાવતો હતો. એટલે માલિક પણ તેનાથી ખુશ રહેતો હતો.

જયારે તે કારીગર વુધ્ધ થઈ ગયો તો તેણે વિચાર્યુ કે, હવે પોતાનું કામ છોડીને બાકીનું જીવન આરામ થી વીતાવશે. તેણે આ વાત માલિકને જણાવી. માલિક આટલા મહેનતી અને સારા કારીગર ને જવા દેવા ઈચ્છતો ન હતો. પરંતુ તેણે કોઈ રીતે હા કરી દીધી.

માલિકે કારીગર ને કહ્યું- સારુ, પરંતુ તારે મારું છેલ્લું કામ કરવું પડશે. તેના પછી જ તું નોકરી છોડી શકે છે. કારીગરે વિચાર્યુ કે સારું એક છેલ્લું કામ કરી લઉ. તેના પછી તો વૃધ્ધાવસ્થા આરામ થી કાપવાની જ છે.

માલિકની જણાવેલી જગ્યાએ કારીગરે કામ કરવાનું શરૂ કર્યું. કારીગર તો કામ જલદી ખતમ કરવા ઈચ્છતો હતો. એટલે તેણે ઘર બનાવવામાં ખાસ કોઈ મહેનત ન કરી. તે અડધા અધૂરા મનથી ઘર તૈયાર કરી રહ્યો હતો. થોડા જ દિવસમાં કારીગરે તે ઘર તૈયાર કરી દીધું.

માલિક જયારે તે ઘર જોવા આવ્યો તો તેણે જણાવ્યું કે, આ ઘર તારી જીવનભર ની મહેનત અને ઈમાનદારી નું ઈનામ છે. આ કહીને તેણે ઘરની ચાવી કારીગર ના હાથમાં સોંપી દીધી. હવે કારીગરે વિચાર્યું કે મેં આખી જિંદગી લોકો માટે સારા ઘર તૈયાર કર્યા. અને મારું પોતાનું જ ઘર સૌથી વધારે ખરાબ રીતે બનાવી નાખ્યું.

બોધપાઠ : જીવનમાં બધા કામ મહત્વપૂર્ણ છે. દરેક કામ મન લગાવી ને કરો. શું ખબર તમારું આ જ કામ તમને સફળતા સુધી લઇ જાય. આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ ને ગંભીરતાથી નથી લેતા. પરંતુ સમય નીકળી ગયા પછી વિચારતા રહીએ છીએ કે હજુ સારું બનાવી શકતા હતા.

– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)