5 નણંદોએ માંગ્યો પિતાની મિલકતમાં ભાગ, પછી ભાભીએ જે કર્યું તે જાણવા અને સમજવા જેવું છે.

0
75731

આજે આપણા ભારતીય સમાજમાં પૈતૃક મિલકતને લઈને બહેનો ભાઈઓ ઉપર કોર્ટમાં કેસ કરે છે. આપણા સમાજમાં, જ્યાં ભાઈઓ-ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીને લઈને ત-લ-વા-રો ખેંચાય છે, ત્યાં બહેનો વચ્ચેની આ લ-ડા-ઈ કેટલાક ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે. આ મુદ્દો કાનૂની, સામાજિક અને આર્થિક છે ત્યારે તેના મનોવૈજ્ઞાનિક પાસાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ.

થોડા વર્ષો પહેલા આપણા ભારતીય સમાજની એક નવપરિણીત છોકરીએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે છોકરીના લગ્ન ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાં થયા હતા. સાસરીમાં તેના સાસુ સસરા સિવાય તેની પાંચ નણંદો હતી. લગ્નના થોડા સમય બાદ નણંદોએ પિયરમાં પૂર્વજોની વડીલોપાર્જિત મિલકત પર પોતાનો હક માંગ્યો હતો. સાસુ સસરા પણ તેમની દીકરીઓને ભાગ આપવા માટે સહમત થયા.

નોંધનીય છે કે આ પાંચેય નણંદોના લગ્ન પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ પરિવારમાં થયાં હતાં અને તેમનાં પતિઓની સ્થિતિ ઘણી સારી હતી અને તેમના લગ્ન પણ ભરપૂર દાન-દહેજ આપીને થયાં હતાં.

ત્યારે પુત્રવધૂએ બહુ મહત્વની વાત કહી. તેણીએ કહ્યું કે ઉત્તરાધિકારની વહેંચણીની સાથે સાથે ફરજોનું પણ વિભાજન થશે. જો મિલકતના 6 ભાગ હોય, તો માતા-પિતા, જેઓ અત્યાર સુધી પુત્ર અને વહુ સાથે રહેતા હતા, તેઓ હવે દરેક સંતાન સાથે વર્ષના બે મહિના રહેશે. આમ, માતા પિતા પુત્ર સાથે વર્ષના ફક્ત બે મહિના જ રહેશે.

આ સાંભળીને દીકરીઓએ વિરોધ કર્યો અને કહ્યું કે જો તેઓ તેમના માતા-પિતાને રાખશે તો તેમના પોતાના સાસુ અને સસરા ક્યાં જશે? આ આખા પ્રકરણમાં ધ્યાનમાં લેવા જેવી હકીકત એ છે કે, સાસુએ પોતે પોતાની નણંદને એક ફૂટી કોડી પણ આપી નહતી પરંતુ તે પોતાની સમૃદ્ધ દીકરીઓને ઉત્તરાધિકારમાં ભાગ આપી રહી હતી.

આ સ્ત્રીઓની જટિલ અને બેવડી માનસિકતા છે. તેમની નણંદ કે દીકરીની નણંદ જો પૈતૃક સંપત્તિમાં તેનો ભાગ માંગે તો તે લોભી અને ઘર તોડનાર ગણાય છે. પરંતુ જો તેની પુત્રી પણ આવું જ કરે, તો તે જરૂરિયાતમંદ અને કાયદેસર છે.

મને ખબર નથી કે આપણે આપણા ભાઈઓના કાંડા પર કેટલી વાર રાખડીઓ બાંધી છે અને આજીવન રક્ષણનું વચન માંગ્યું છે. આજે આપણને વિશ્વાસ નથી કે ભાભીના આવ્યા પછી એ જ ભાઈ આપણી રક્ષા માટે સમય કાઢી શકે છે. લો-હી પાણી કરતા ઘટ્ટ હોય છે, દરેક ભાઈ આફતના સમયે પોતાની બહેનની રક્ષા કરશે જ. એવો આપણે વિશ્વાસ કરવો જોઈએ.

જો આપણે બહેનો પણ આપણા પિયરમાં આપણા હક્કની માંગણી કરીએ છીએ, તો આપણે આપણા સાસરિયાંની દીકરીઓને પણ તેમનો હક્ક આપવો જોઈએ અને હક્ક માંગવાની સાથે આપણી ફરજો પૂરી કરવાની પ્રતિબદ્ધતા પણ હોવી જોઈએ.

કાનૂની કાયદાઓ સામાજિક પરિવર્તન લાવી શકતા નથી. જ્યારે આપણું હૃદય પ્રરિવર્તન થશે, ત્યારે જ સમાજ બદલાશે, અને પછી પોતાના ભાઈના એક સ્મિત પર ત્રણેય વિશ્વની સંપત્તિ કુરબાન.