વાંચો નળસરોવરના સર્જન અને હિંગળાજ માતાના પ્રાગટ્યની લોકકથા જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.

0
1048

આજથી ઘણા વર્ષો પહેલાં ની આ વાત છે એક વાર પાકિસ્તાન સિંધ પ્રાંતમાં ખુબ જ દુષ્કાળ પડ્યો હતો. તેવા સમયમાં લૂ ટ ફાટ અને એક તરફ સિંધ ના સુમરાનો ત્રાસ, એવા સમયમાં સિંધ મા કાશ્મીર કોળી નામનો એક માતા હિંગળાજ નો પરમ ઉપાસક માતાજીને વિનંતી કરવા લાગ્યો કે, હે મા હિંગળાજ મારા કુળની દેવી, હવે આ દુષ્કાળ માંથી તુજ ઉગારી શકે છે.

માં હિંગળાજે પ્રસન્ન થઇને કહ્યુ કે. બેટા કાશ્મીર નાહક ની ચિંતા છોડી દે, હુ તને ગુજરાતમાં લઈ જઈશ અને તરતજ મા હિંગળાજે બહેન ભોરખને કહ્યુ, ચાલો બેન અહીંથી આપણે જવાનો સમય આવી ગયો છે, માટે આપણો રથ તૈયાર કરો. અને માતાજી કાશ્મીર કોળીને રથમા બેસાડી ગુજરાત તરફ પ્રયાણ કર્યા.

હવે ગુજરાત મા આવ્યા પછી એક વિરાન ભુમી ખારોપાટ હતો ત્યાં રથ ઉભો રાખ્યો અને કાશ્મીર કોળીને કહયુ કે, બેટા કાશ્મીર આ જગ્યાએ તારા માટે મારે ગામ વસાવુ છે, શુ તને અહીં ગમશે? ત્યારે કાશ્મીર કોળી કહે છે કે, હે મા આ વેરાન રણમાં કેમ કરી રહેવુ? માટે મારે અહીં નથી રહેવુ. ત્યારે માતાજી કહે છે કે ઠીક છે, બેટા તુ સુઈ જા રાત ઘણી થઈ ગઈ છે માટે સવારે વાત કરશુ.

કાશ્મીર કોળી માના ચરણોમાં માથુ રાખીને સુઈ ગયો. સવારે જાગ્યો ત્યારે તે અચરજ સાથે કહેવા લાગ્યો કે, હે મા આપણે રાત્રે એક વેરાન રણમાં હતા અને અત્યારે અહીં આ હરિયાળી વનરાઈ અને આવડુ મોટુ સરોવર. માં આ જગ્યા મને ખુબ ગમે છે, મારે અહીં રહેવુ છે. ત્યારે માતા ભોરખ કહે છે કે, બેટા કાશ્મીર આ એજ જગ્યા છે જ્યાં તુ રાત્રે સુતો હતો.

અને મા હિંગળાજ કહે છે કે, બેટા હવે હુ તારા સાત દિકરા ની માટે સાત ગામ વસાવુ છુ. એવી રીતે મુળ પ્રથમ ગામ મુળ બાવળી વસાવ્યુ, જે હાલ મા લીમડી તાલુકા નુ મુળ બાવળા તરીકે ઓળખાય છે, બીજુ ગામ વેકરીયા બનાવ્યુ જે નળસરોવર વેકરીયા તરીકે ઓળખાય છે, ત્રીજુ ગામ નાની કઠેચી, ચોથુ ગામ રાણાગઢ, પાચમુ ગામ ધરજી, છઠુ ગામ મેણી અને સાતમુ ગામ શાહપુર વસાવ્યુ. અને કાશ્મીર કોળીના મોટા દિકરા ધાનમેર ને મુળ બાવળી અર્થાત મુળ બાવળા સોપીયુ.

એવા સમયે માતાજીના રથના ભંડારીયા માથી એક કાલીયો પઠાણ બહાર આવી બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો કે, હે મા તમે તો જગત જનની છો તો મારા પર દયા કરો અને મને પણ કંઈક આપો. ત્યારે માતાજી એ તેને એક ગામ આપ્યુ જે આઠમુ ગામ તે કાલીયા પઠાણના નામ પર થી કાયલા ગામનુ નામ પાડયુ. અને તેને વરદાન આપ્યું કે, તારા એક ગામના સાત ગામ બનશે અને તેનુ પટલીપણુ તારી પાસે રહેશે. અત્યારે હાલ મુસ્લિમો ના સાત ગામ છે. આ નળસરોવર ની ફરતે અને કાયલા ગામમાં હિંગળાજ ભોરખ માતાનુ મંદિર છે, અને તેનો ભુવો મુસલમાન છે જે આજનુ તાજુ ઉદાહરણ પૂરું પાડે છે.

હવે રહી વાત સરોવરની તો આવુ વિશાળ પંથમા મોટુ સરોવર જોઈને ઘણા દેવી દેવતાઓ ને સરોવર ની માયા લાગી એમા શક્તિ સ્વરૂપે ઝુપાળી માતાએ આવીને આ સરોવર પર કબજો કર્યો ત્યારે હિંગળાજ માતાજી એ આવીને કહ્યુ કે, આ સરોવર મારૂ છે માટે તમે આ સરોવર છોડી ચાલ્યા જાવ. અને ઝુપાળી માતા એ કહ્યું કે, નહીં હુ અહીંજ રહીશ અને આ સરોવર નુ રક્ષણ કરીશ. મને અહીં રહેવા દો. માતાજીએ હા પાડી. આવી રીતે મહાતળ દાદા એટલે કે નાગશેષ ગોગા મહારાજ પણ અહીં સરોવર મા રહેવા આવ્યા. માતાજીએ તેમને પણ કહ્યુ કે, રહો તો ભલે રહો પરંતુ મારી ધાનમેર ની એક વસ્તી નહી પરંતુ અઢારેય વરણની વસ્તી ને કોઈ નુકશાન ના આપવુ હોય તો.

મહાતળ દાદા વચને બંધાયા અને અત્યારે હાલ પણ નળસરોવર મા કોઈ પણ વ્યક્તિને નાગ કરડતો નથી. અત્યારે હાલ ચોમાસામાં ગોવાળ લોક પોતાના ઢોર ઢાખર લઈને આ સરોવરમા જાય છે અને સરોવર ના કિનારે સુઈ જાય છે. સવારે ઘરે આવે ત્યારે કોઈ પણ પ્રજાતિના નાના મોટા સાપ કોઈના કામળા ગોદડા મા ઘરે સાથે આવી જાય છે, પરંતુ કોઈ ને કરડતા નથી ફક્ત નળસરોવર અંદર ના ભાગ સુધી.

આવી રીતે જ પાવાગઢ મહાકાળી માં પણ આ સરોવરમા રહેવા આવેલા ત્યારે ચાચડ વીર અને માંકડ વીર બે ભાઇઓ આ નળસરોવર ના ચોકીદાર હતા. તેમણે માતા હિંગળાજ અને માતા ભોરખને ખબર આપી કે, માં અહીં એક દેવી પધાર્યા છે આપણા નળસરોવર પર હક કરી બેઠા છે. ત્યારે માતા હિંગળાજે તેમને કહ્યુ કે, તમે અહીંથી ચાલ્યા જાવ. ત્યારે માતાજી મહાકાળી માતા એ કહ્યુ કે, ઠીક છે હુ તો જાવુ છુ પણ આ સરોવર નુ નામ નિશાની રહેવા દઈશ નહી.

એમ ક્રોધના આવેશ મા આવીને માતા મહાકાળી એ ધૂળના ડુંગર ઉતારવા લાગ્યા અને નળસરોવર બુરવા લાગ્યા. ત્યારે મા હિંગળાજે પૂછયું કે, કોણ છે જે મારૂ નળસરોવર બુરવા લાગ્યુ છે. ત્યારે મહાકાળી એ કહ્યુ કે, હું કાળી છું, મેં આ કાર્ય કર્યુ છે. માતાજી એ તેમને જેમતેમ કરી સમજાવ્યા અને નળસરોવર થી પંદર કિલોમીટરના અંતરે એમને બેસણુ આપ્યુ અને કહ્યુ કે, આ ધૂળના ઢગલાનો તમે ડુંગર બનાવો અને તેની પર બેસી એક ગામ વસાવો. ત્યારે માતા મહાકાળી એ ગામ વસાવ્યુ અને તે ગામનુ નામ તેમના નામ પરથી મેટાળ ગામ નામ આપ્યું, અને તે પોતે મેહકાળી માતા તરીકે મેટાળ ગામે પૂજાવા લાગ્યા, અને નિશાની રૂપે તેમનુ નામ નળસરોવર સાથે અમર રહે તે માટે 360 નાના નાના ઢગલા નળસરોવર મા રહેવા દિધા જે ટાપુ તરીકે ઓળખાય છે.

હવે વાત જાણે એમ બને છે કે, માતા હિંગળાજ ના આ ગામમાં સ્ત્રી ઓ સોનાના બેડે પાણી ભરતી હતી. સોનાની કોઈ તંગી નહોતી એટલા સુખી ગામડાઓ હતા. નળસરોવર ના સમય વિતતો જાય છે અને એક વાર દિલ્હી મા ખુબ દુકાળ પડે છે. દિલ્હી નો બાદશાહ મુગલ સૈનિકોને કહે છે કે, જાઓ અને દુર દુર સુધી પહોંચી જાવો ને તપાસ કરો કે આપણુ મોગલોનુ સામ્રાજય ક્યાં અને કેવી રીતે ટકાવી શકાય તેવી જગ્યા તપાસ ક.રો સૈનિકો ચાલતા ચાલતા નળસરોવર ના મુળ બાવળા ગામે આવ્યા. તેમને તરસ ખૂબ લાગી હતી એટલે ગામના ગોંદરે પનિહારીયો પાણી ભરી રહી હતી ત્યાં ગયા અને પાણી માગ્યુ.

પનિહારી પાણી પીવડાવી રહી હતી ત્યારે એક સૈનિક ની નજર પાણીના ઘડા ઉપર પડી અને તે બોલ્યો વાહ વાહ ક્યા બાત હૈ, આ પીત્તળ આટલુ બધુ ઉજળુ. ત્યારે પનિહારી બોલી ભાઈ આ પીત્તળ નથી આ સોનાનો ઘડો છે. આ બધી બહેનો પાણી ભરે છે તે બધાના બેડા સોનાના છે. સૈનિકો ચૂપચાપ બોલ્યા વગર રવાના થયા. દિલ્હી ગઢ અને મુગલ બાદશાહ ને માંડીને બધી વાત કરી.

દિલ્હી ના બાદશાહે નળસરોવર ની વાટ પકડી. નળસરોવર ના ફરતા ગામડા લૂ ટ વા માટે ચાલતા ચાલતા હાથી ઘોડા અને સૈન્ય સાથે બાદશાહ મેટાળ ગામે મેહકાળી અર્થાત મહાકાળી ના સાતસો વિઘાનો ડુંગર જોઈને આભો બની ગયો અને જોરથી હસવા લાગ્યો. સૈનિકોને કહ્યુ કે, આજની રાત અહીં આ ડુંગર પર વિતાવી સવારે રવાના થાશુ. આ ડુંગર ઉપર મોર ખુબ હતા. સૈનિકો એ મો ર અગ્નિ મા શેકી ને ખા વાલાગ્યા. અને બધા સુઈ ગયા ત્યારે માતા હિંગળાજે મહાકાળી માતા ને મહેણું માર્યું છે કે, અરે દેવી શુ ધ્યાન રાખે છે તુ? આ મુગલ સૈનિકો તારા મોર ખા યગયા છતા તુ મૌન કેમ છે?

મહાકાળી માતા ને ક્રોધ ચડયો અને જેટલા સૈનિકો એ મો રખા ધા હતો તે બધાના પેટમાં મોર જોર જોરથી ટેહુક ટેહુક બોલવા લાગ્યા. સૈનિકો મા ભાગદોડ મચી ગઈ અનેક સૈનિકોનો પતી ગયા. બાદશાહે માફી માંગી અને ચાંદી ના મોર મહાકાળી માતા ને અર્પણ કર્યા. અત્યારે હાલ આ ચાંદી ના મોર સાક્ષી પુરે છે વાતની. એક લીમડામા ફક્ત એક ડાળ મીઠી છે તે હયાત લીમડો પણ છે.

જેમ તેમ કરીને બાદશાહ તેના સૈનિકો ને લઈને આગળ પ્રયાણ કર્યા. નળસરોવર તરફ માંકડ વીર અને ચાચડ વીરને ખબર પડી કે, દિલ્હી નો મુગલ બાદશાહ નળસરોવર ના ગામડા લૂ ટ વા આવી રહ્યો છે. બંન્ને ભાઈઓ રણ મેદાનમાં ઉતરી પડ્યા અને મુગલો ને સાફ કરવા લાગ્યા. પણ આતો મુગલ ફોજ એમ ખુટે તેમ નહોતી. માંકડ વીર કહે છે કે ભાઈ હવે આપણે વધારે નહીં ટકી શકવી, માટે મા હિંગળાજ ભોરખને ખબર આપવી પડશે. પરંતુ આ તો જગતજનની મા જગદંબા એનાથી આ વાત કેમ કરી અજાણ હોય.

બરાબર બદશાહના સૈનિકો ઉંડી કોતરોમા ઉતર્યા એવાજ મા હિંગળાજ અને ભોરખ માતા એ છાશની ગોળી નળસરોવર મા ઉંધી વાળી અને આખુ નળસરોવર છાશના પાણીથી ભરાઈ ગયું અને મુગલ બાદશાહ સાથે સૈનિકો હાથી ઘોડા સાથે બધાને ડુબાડી દીધા. અને ત્યારે નળસરોવર ના ફરતા ગામના લોકો આવ્યા આનંદથી નાચવા લાગ્યા, ઢોલ ઢબુકીયા રાવળદેવ ના ડમ્મર ડાક વાગ્યા અને મા હિંગળાજ ભોરખ ના નામના દુહા લલકારીયા.

પાનવાડ પ્રગટ્યા પાણી

ધરાબલે વાગ્યા ઢોલ

મુગલ કેરા ઘાણમા મુગલ માર્યા અપાર

ખમ્મા માઁ ખમ્મા મારી હિંગળાજ ભોરખ માતને

હાલમાં માંકડ વીર અને ચાચડ વીરની સમાધી ખાંભી હયાત છે.

અને આ સરોવરનુ નામ નળસરોવર એટલા માટે પડ્યુ કે અહીં નળરાજા અને તેમની પત્ની સતી દમયંતી નો મેળાપ કરાવનાર હંસ અને હંસલી ની જોડી આ નળસરોવર ના હતા. બીજુ કે એવી પણ લોક વાયકા છે કે અહીં નળરાજા એ જળ સમાધી લીધી હતી અત્યારે હાલ સમાધી છે. પરંતુ વન વિભાગ નો કબજો હોવાથી કોઈ તેની ખ્યાતિ નથી રહી. હા એક વાત ચોક્કસ છે કે, અહીં વિદેશી પક્ષીઓ નુ આ નળસરોવર એક સ્વગૅ છે અને ભારત ભર ના લોકો અને વિદેશી લોકો અહી ડિસેમ્બર મહિનામાં ફરવા જરૂર આવે છે. આ નળસરોવર પુરા ભારત દેશ મા આગવી ઓળખ ધરાવે છે.

શ્રી જોગી રાવળદેવ સમાજ ગૃપ નવ સર્જન

વિક્રમ ભાઈ રાવળદેવ નળસરોવર ના જય માતાજી હર હર મહાદેવ.

– સાભાર બાપા સીતારામ રાવળદેવ (અમર કથાઓ ગ્રુપ)