હું ભગવાનને હંમેશા એ જ પ્રાર્થના કરું કે 10 વર્ષ ઓછું જિવાડજો પણ ટપ મોત આપી દેજો બસ એટલું… કોઈ બીમારી નહીં બસ…
આ થવાના મુખ્ય 2 કારણ કહી શકીએ…
[1] વધારે પડતો શારીરિક આરામ અને
[2] વધારે પડતો માનસિક થાક… બસ આ 2 વસ્તુથી પોતાની જાતને બચાવી લેજો…
કોઈ પણ કારણે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં… પોતાના બાળકો માટે પણ નૈ… કેમ કે તમારું શરીર તંદુરસ્ત હશે, તો જ તમે આગળ જતા બાળકોનું પણ ધ્યાન રાખી શકસો અને એમની માથે બોજ બનીને નહીં રહો… એ નફામાં.
ઈચ્છાઓનો ક્યારેય અંત જ નથી અને ભાગ્યમાં હશે એ મળી જ રહેવાનું છે એટ્લે મહેનત જરૂર કરવાની પણ ચિંતા ક્યારે પણ નહીં કરવાની… જીવનમાં પદ, પૈસો, બધુ જ મહત્વનું છે, પણ એ બધાથી પહેલા તમારું શરીર છે… એને સાચવશો તો તમારું જીવન એળે લાગશે…
શરીરની સાથે સાથે મન ઉપર કાબુ રાખતા શીખો કેમ કે બધા ફસાદનું મૂળ તો આ વાંદરા જેવું મન જ છે ને? મન પ્રફુલ્લિત અને સંતોષી હશે, તો કાયા આપમેળે સુડોળ રહેશે જ અને મન અળવીતરું હશે, તો સાથે સાથે તનને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે શરીરનું મૃત્યુ થાય ત્યારે સૌ કોઈ રડે છે પરંતુ મનનું મૃત્યુ થાય, ત્યારે પોતાને જ રડવું પડે છે… એના માટે સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે… વધુ પડતી અપેક્ષા કે મોટા સપના ના રાખો અને જે છે એમાં સંતોષ માનો તો કદાચ તમે આકાશની ઊંચાઈ ભલે ના મેળવી શકો પણ સુખી સંસાર ચોક્કસ મેળવી શકશો.
એક બાદશાહ પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે એ જાણવા નીકળ્યો, તો એને એક વૃધ્ધ સૈનિક ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો, તો તેમણે એની પાસે જઇને પૂછ્યું કે… ઠંડી લાગે છે? તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ વર્ષોની ટેવ છે, તો તકલીફ નથી પડતી… તો રાજા એ કહ્યું કે કાલે તમારા માટે ગરમ કપડાં મોકલી આપીશ, જેથી રાહત રહેશે… બાદશાહ આ વચન આપીને ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા…
7 દિવસ પછી પેલો સૈનિક ઠંડીના કારણે મરી ગયો અને રાજાને એક પત્ર લખતો ગયો કે વર્ષોથી આ જ કપડાંમાં અમે ફરજ નિભાવતા હતા અને ઠંડી પણ સહન કરી લેતા હતા… પણ તમે આવીને ગરમ કપડાંની આશા આપતા ગયા અને અમારું મન નબળું કરતાં ગયા… અને તમારા એ વાયદા એ જ મારો જીવ લઈ લીધો…
મિત્રો, જીવનમાં આશા, સપ્નો અને અપેક્ષાનો ઓવરડોઝ ક્યારેય ના થાવા દેવો… કોઈ પણ વ્યક્તિ કે વિચારનો સહારો ના રાખવો… સહારો હંમેશા માણસને નબળો જ બનાવે છે…
“ખુદ ગબ્બર ” બનીને જીવો… પોતાનું જોર, પોતાની સહનશક્તિ, પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો, તો ક્યારેય માંદગી નહીં આવે…
વર્તમાન આર્થિક તંગીમાં અકળાઈ જવાની જગ્યાએ, આ સમય તમને ઘણું શીખવી રહ્યો છે એ શીખો અને દરેક પાસે અમુલ્ય અને મોટી સંપત્તિ જો કોઈ હોય તો એ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જ છે, ને આ બંનેની સાચવણી તમે પોતે જ કરી શકો છો, અન્ય કોઈ ઈચ્છે તો પણ નહીં.
– જીત મજેવડિયા, અમર કથાઓ ગ્રુપમાં કરવામાં આવેલી પોસ્ટ.