રચના : શંકરસિંહ સિંધવ
(‘શબ્દના ગુના’ સંગ્રહમાંથી)
લડખડાતા કદમને ન શો ન માનો,
વીતેલી જિંદગીનો હું હિસ્સો છું,
હા….હું….ઘડપણ છું.
શબ્દની સીમા જ્યાં પુરી થાય,
એ પછીના મૌનનો હું વિસ્તાર છું,
હા….હું….ઘડપણ છું.
તમને શું ખબર પડે આમાં?
બસ એજ વાક્ય નો હું વિરામ છું,
હા….હું….ઘડપણ છું.
આ કરચલીઓનું કાળમીંઢ હોવું,
ઝાંખપ, ખાલીપો, વેદના ને પીડા છું,
હા….હું….ઘડપણ છું.
એકલતાનું અંધારુને મેણાં ટોણા નો મારો,
હવે કદી ન વાગે ઈ બસુરો પાવો છું,
હા….હું….ઘડપણ છું.
ફળે ન આશીર્વાદ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ થી,
પણ હા હું ઈ આશીર્વાદનો દાતા છું,
હા….હું….ઘડપણ છું.
– શંકરસિંહ સિંધવ (અમર કથાઓ ગ્રુપ) (ફોટો પ્રતિકાત્મક છે.)