“ઘડપણ” : વૃદ્ધાવસ્થા પર બનેલી આ રચનામાં છુપાયેલો છે મર્મ.

0
524

રચના : શંકરસિંહ સિંધવ

(‘શબ્દના ગુના’ સંગ્રહમાંથી)

લડખડાતા કદમને ન શો ન માનો,

વીતેલી જિંદગીનો હું હિસ્સો છું,

હા….હું….ઘડપણ છું.

શબ્દની સીમા જ્યાં પુરી થાય,

એ પછીના મૌનનો હું વિસ્તાર છું,

હા….હું….ઘડપણ છું.

તમને શું ખબર પડે આમાં?

બસ એજ વાક્ય નો હું વિરામ છું,

હા….હું….ઘડપણ છું.

આ કરચલીઓનું કાળમીંઢ હોવું,

ઝાંખપ, ખાલીપો, વેદના ને પીડા છું,

હા….હું….ઘડપણ છું.

એકલતાનું અંધારુને મેણાં ટોણા નો મારો,

હવે કદી ન વાગે ઈ બસુરો પાવો છું,

હા….હું….ઘડપણ છું.

ફળે ન આશીર્વાદ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ થી,

પણ હા હું ઈ આશીર્વાદનો દાતા છું,

હા….હું….ઘડપણ છું.

– શંકરસિંહ સિંધવ (અમર કથાઓ ગ્રુપ) (ફોટો પ્રતિકાત્મક છે.)