“હે ઓધાજી મારા વ્હાલાને…” આ ગીત તમને કૃષ્ણ ભક્તિના રંગે રંગી દેશે.

0
433

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી

હે મનાવી લેજો રે

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી

માને તો મનાવી લેજો જી

મથુરાના રાજા થ્યા છો

ગોવાળોને ભૂલી ગ્યા છો

માનીતી ને ભૂલી ગ્યા છો

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી

માને તો મનાવી લે’જો રે

મારા વ્હાલાને વઢીને કે’જો જી

એકવાર ગોકૂળ આવો

માતાજી ને મ્હોં લેખાવો

ગાયો ને હંભારી જાઓ રે

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી

માને તો મનાવી લેજો જી

મારા વ્હાલાને વઢીને કે’જો જી

વ્હાલાની મરજીમાં રહેશું

જે કહેશે તે લાવી દેશું

કુબજા ને પટરાણી કેશું રે

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી

માને તો મનાવી લે’જો રે

મારા વ્હાલાને વઢીને કે’જો જી

તમે છો ભક્તોના તારણ

એવી અમને હૈયા ધારણ

હે ગુણ ગાય ભગો ચારણ

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી

માને તો મનાવી લે’જો રે

મારા વ્હાલાને વઢીને કે’જો જી

સરખી સાહેલી સાથે

કાગળ લખ્યો મારા હાથે

વાંચ્યો નહીં મારા નાથે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે

માને તો મનાવી લે’જો રે

મારા વ્હાલાને વઢીને કે’જો રે

મથુરાને મારગ જાતા

લૂ ટી તમે માખણ ખાતા

તોડ્યા કેમ જુના નાતા રે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે

માને તો મનાવી લે’જો રે

મારા વ્હાલાને વઢીને કે’જો રે.

– સાભાર સોલંકી હેની (અમર કથાઓ ગ્રુપ)