‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ : નરસિંહ મહેતાનું આ પ્રભાતિયુ ગાયને રોજ શ્રીકૃષ્ણને જગાડજો.

0
789

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનમાં કોણ જાશે?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં

કઢિયેલ દૂધ તે કોણ પીશે?

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો

ભૂમિનો ભાર તે કોણ સહાશે? … જાગને

જમુનાજીના તીરે ગૌધણ ચારતા

મધુરીશી મોરલી કોણ વા’શે ?

ભણે મહેતો નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝવે

બૂડતાં બાંવડી કોણ સહાશે? … જાગને

– નરસિંહ મહેતા

(સાભાર ગિરીશ પટેલ, અમર કથાઓ ગ્રુપ)