જાણો, કેમ ભગવાન શ્રીકૃષ્ણએ અભિમન્યુને બચાવ્યો નહોતો.

0
828

ભગવાન શ્રીકૃષ્ણ અભિમન્યુને ચક્રવ્યુહથી બચાવી શકતા હતા, પણ એવું કયું કારણ હતું કે તેમણે એવું ન કર્યું. જયારે ચંદ્રમાંએ સાંભળ્યું કે તેના પુત્ર વર્ચાને પણ પૃથ્વી ઉપર જન્મ લેવાનો અધિકાર મળે છે, તો તેમણે બ્રહ્માએ તે આદેશને માનવાની ના કહી દીધી. સાથે જ તે પણ કહી દીધું હતું કે તેનો પુત્ર વર્ચા અવતાર નહિ લે.

ચંદ્રમાંના પુત્ર વર્ચા હતા. કહેવામાં આવે છે કે ચંદ્રમાં ક્યારે પણ ન ઇચ્છતા હતા કે તેનો પુત્ર પૃથ્વી ઉપર જઈને મહાભારત યુદ્ધ લડે. પરંતુ તેમણે વિવશ થઈને તેના પોતાના પુત્રને મહાભારતના યુદ્ધ માટે મોકલવો પડ્યો હતો. ચંદ્રને છેવટે કેમ એ વાત માટે વિવશ થવું પડ્યું હતું? કોણે તેને વિવશ કર્યા હતા? તેના પુત્ર વર્ચાએ કઈ રીતે મહાભારતનું યુદ્ધ લડ્યું હતું? સાથે જ છેવટે આ યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ અભિમન્યુને કેમ ન બચાવ્યો હતો. આગળ આપણે તે જાણીએ.

દુષ્ટોના વિનાશ માટે ભગવાન વિષ્ણુ અવતાર લેતા હતા. ભગવાન વિષ્ણુનો સાથ આપવા માટે તમામ દેવતાઓએ પૃથ્વી ઉપર અથવા તો પોતાનો અવતાર લેવો પડતો હતો અથવા તો ફરી પોતાનો પુત્ર ઉત્પન કરવો પડતો હતો. દ્દવાપર યુગમાં દુષ્ટોનો વિનાશ કરવા માટે ભગવાન વિષ્ણુ કૃષ્ણના રૂપમા અવતાર લેવાના હતા.

ત્યારે બ્રહ્માજીએ તમામ દેવતાઓને એ આદેશ આપ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણની મદદ માટે આ સમગ્ર પૃથ્વી ઉપર અંશાવતાર લે અથવા પોતાના પુત્રને જન્મ આપે. જયારે ચંદ્રમાંએ સાંભળ્યું કે તેમના પુત્ર વર્ચાને પણ પૃથ્વી ઉપર જન્મ લેવાનો અધિકાર મળ્યો છે, તો તેમણે બ્રહ્માના એ આદેશને માનવાની ના કહી દીધી. સાથે જ એ પણ કહી દીધું હતું કે તેમનો પુત્ર વર્ચા અવતાર નહિ લે.

ત્યારે તમામ દેવતાઓએ ચંદ્રમાં ઉપર એવું કહીને દબાણ કર્યું કે ધર્મનું રક્ષણ કરવું તમામ દેવતાઓનું કર્તવ્ય જ નહિ ધર્મ પણ છે. એટલા માટે તે અથવા તેનો પુત્ર તેના કર્તવ્યથી કેવી રીતે વિમુખ થઇ શકે છે. દેવતાઓએ આ રીતે દબાણ કરવાથી ચંદ્રમાં વિવશ થઇ ગયા હતા.

પરંતુ તેમ છતાં પણ તેમણે દેવતાઓ સામે એક શરત મૂકી દીધી. તે શરત એ હતી કે તેમનો પુત્ર વધુ સમય સુધી પૃથ્વી ઉપર નહિ રહે. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર દેવરાજ ઇન્દ્રના પુત્ર અર્જુનના પુત્ર અભિમન્યુના રૂપમાં જન્મ લેશે. અને ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની ગેરહાજરીમાં એકલા જ તેમનું પરાક્રમ દેખાડીને વીરગતિને પ્રાપ્ત કરશે. જેથી ત્રણે લોકમાં તેના પરાક્રમની ચર્ચા થશે.

તેની સાથે જ ચંદ્રમાંએ દેવતાઓ સામે એ શરત પણ રાખી દીધી હતી કે અભિમન્યુનો પુત્ર પણ તે કુરુ મંચાનો ઉત્તરાધિકારી બનશે. ચંદ્રમાંની એ હઠને કારણે તમામ દેવતા વિવશ થઇ ગયા. ત્યારે ચંદ્રમાંના પુત્ર વર્ચાએ મહારથી અભિમન્યુના રૂપમાં જન્મ લીધો હતો. ત્યાર પછી દ્રોણાચાર્ય દ્વારા રચવામાં આવેલા ચક્રવ્યૂહમાં પોતાના ત્રણેમાં પોતાનું પરાક્રમ દેખાડીને અલ્પાયુમાં જ વીરગતિને પ્રાપ્ત થઇ ગયા. કહેવામાં આવે છે કે એ કારણ હતું કે શ્રીકૃષ્ણએ અભિમન્યુને બચાવ્યો ન હતો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.