કંચન છે કે કથીર એ કસોટી એ જ પરખાય,
દોષ ભુલે દુર્જન તણા, વિચારે ન બીજી વાત,
સજ્જન રાખે એક જ રંગ, કરે ભલાઇ ની વાત,
વિપત વહમી આવી પડે ત્યારે છોડે નહી મેદાન,
નિજ કુળના ખમીરની પ્રભુ સાચવી રાખજે શાન,
આપજે સૌને હિંમત, હવે કરજે તુ જ રખેવાળ,
માનવ થાક્યો બહુ મથીને, તુ જ છે એક આધાર.
– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)
મિત્રો સાથે સાથે એક ખુબ જ લોકપ્રિય ગુજરાતી કવિતા પણ વાંચતા જાવ.
મને કહોને પરમેશ્વર કેવા હશે?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે?
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે? … મને કહોને
આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે? … મને કહોને
મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે? … મને કહોને
ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે? … મને કહોને
મનેય મારી માડીને ખોળે,
હોંશે હુલાવનાર કેવા હશે? … મને કહોને