ગોપાળાનંદ સ્વામી નાં બોલવાથી આ બોરડીના ખરી ગયાં હતાં કાંટા, વાંચો અલૌકિક પ્રસંગ.

0
1264

કાંટા વિનાની બોરડી : આજે અમે એક એવી બોરડી વિશેની માહિતી લઈને આવ્યા છીએ જેના પર કાંટા નથી. જોકે એવું નથી કે, આ બોરડી પર પહેલાથી જ કાંટા ન હતા. તેના પર કાંટા તો હતા પણ એક સંતના કહેવા માત્રથી આ બોરડીના કાંટા ખરી ગયા હતા, અને પછી ક્યારેય તેની પર કાંટા નથી ઉગ્યા. આવો જાણીએ આ અલૌકિક પ્રસંગ વિષે.

જણાવી દઈએ કે, આ બોરડી લગભગ ૧૮૬ વર્ષ જૂની છે. અને આ બોરડીનું ઝાડ રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં આવેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન સં. ૧૮૮૬ ના ફાગણ સુદ પાંચમ, તા. ૨૬/૦૨/૧૮૩૦ ના રોજ સર જહોન માલ્કમના આમંત્રણને માન આપીને રાજકોટ પધારેલા. તે સમયે આ બોરડી નીચે સત્સંગ સભા ભરાઈ હતી.

આ સત્સંગ સભામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અને અન્ય સંતો અને હરિભક્તો હાજર હતા. સર માલ્કમ સાથેની સભા પુરી થઇ અને જ્યારે ગોપાળાનંદ સ્વામી ઉભા થયાં ત્યારે સ્વામીની પાઘ બોરડીના કાંટામાં ફસાઇ ગઇ. તે સમયે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી અચાનક જ શબ્દો સરી પડયા કે, “અરે બોરડી, સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાનનો તને સાક્ષાત સંબંધ થયો, છતાં તારો સ્વભાવ તે છોડયો નહિ. ધિક્કાર છે તને.”

(ગોપાળાનંદ સ્વામીનાં બોલવાથી જે બોરડીના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની દિવ્યબોરડીનાં દર્શન.)

આ શબ્દો સંભાળતા જ બોરડીએ પોતાના કાંટાને ત્યજી દીધા અને બોરડીનાં તમામ કાંટા ખરી પડયા. જણાવી દઈએ કે, આજે પણ આ બોરડી જીવંત છે અને તેમાં એક પણ કાંટો નથી.

સાયન્સ ક્યાં નથી પંહોચ્યું? આમ તો તે દરેક જગ્યાએ પહોંચી ગયું છે, પણ એ સાયન્સ આ બોરડી પર રિસર્ચ કરવા સમર્થ નથી. વિજ્ઞાનનું એવુ માનવુ છે કે, કાંટા વાળા વૃક્ષો તેની શ્વાચ્છોશ્વાસની ક્રિયા કાંટાના માધ્યમથી કરે છે. પણ ખબર નહિ આ બોરડીને એકેય કાંટો નથી છતાંય આ બોરડી જીવંત છે.

આ બોરડીનું ઝાડ આજે પણ ”બોર” આપે છે.

સૌને જય સ્વામિનારાયણ.