કવિ અનુપની કાઠીયાવાડ પર બનાવેલી આ રચના વાંચીને કાઠીયાવાડીઓનું માથું ગર્વથી ઊંચું થઈ જશે

0
780

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે;

ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે……

પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે;

હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે…..

સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય;

મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે…..

ન ખાવાનુ ખાવા માગ્યું હતુ;

એ મહેમાન મહા ભારાડી છે,

ખાંડણીયે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે…..

ખાંભીએ-ખાંભીએ સીંદુરીયો એ રંગ કાઠીયાવાડી છે;

રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠીયાવાડી છે…..

અહીંસા તણી આંધી ફુકી, પણ સુરજ નહોતો આથમતો;

લાકડી લઇને તોપુ તગેડી એ ગાંધી કાઠીયાવાડી છે….

ધર્મ ની ખરી હતી એ દીશા જેમણે ઉઘાડી છે,

વીશ્વ તણા વિરાટ બાપુ કાઠીયાવાડી છે….

ગોકુળીયામા ગમ્યુ નહી; મથુરા મુકીને ભાગ્યો હતો,

રણ-રણ જઇને રણછોડ થયો એ ક્રિષ્ન કાઠીયાવાડી છે……

– સાભાર અનુભાઈ હરિયાણી “કવિ અનુપ”.