નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે;
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે……
પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે;
હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે…..
સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય;
મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે…..
ન ખાવાનુ ખાવા માગ્યું હતુ;
એ મહેમાન મહા ભારાડી છે,
ખાંડણીયે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે…..
ખાંભીએ-ખાંભીએ સીંદુરીયો એ રંગ કાઠીયાવાડી છે;
રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠીયાવાડી છે…..
અહીંસા તણી આંધી ફુકી, પણ સુરજ નહોતો આથમતો;
લાકડી લઇને તોપુ તગેડી એ ગાંધી કાઠીયાવાડી છે….
ધર્મ ની ખરી હતી એ દીશા જેમણે ઉઘાડી છે,
વીશ્વ તણા વિરાટ બાપુ કાઠીયાવાડી છે….
ગોકુળીયામા ગમ્યુ નહી; મથુરા મુકીને ભાગ્યો હતો,
રણ-રણ જઇને રણછોડ થયો એ ક્રિષ્ન કાઠીયાવાડી છે……
– સાભાર અનુભાઈ હરિયાણી “કવિ અનુપ”.