પાછા ફરવામાં તો…
– માણેકલાલ પટેલ.
રેખા પાછળ ચાલતી હતી. આગળ એના સસરા ભગવાનદાસ ચાલતા હતા. રસ્તામાં ઘણું પાણી હતું.
ચોમાસામાં બસ બંધ થઈ ગઈ હતી એટલે રેખાના પિયરથી એ બન્ને ચાલતાં આવતાં હતાં.
અડધે રસ્તે એ પહોંચ્યાં હશે ને પાછો વરસાદ ચાલુ થયો.
ભગવાનદાસે છત્રી ખોલી તો રેખાએ કુશલો ઓઢી લીધો.
બેયની વચ્ચે ત્રણ – ચાર હાથનું જ અંતર હતું. પણ, આગળ સસરા અને પાછળ વહુ ચાલતી હોઈ પૂરી મર્યાદા જળવાઈ રહી હતી.
વરસાદ ચાલુ થતાં ભગવાનદાસે કહ્યું : “વહુ! વરસાદ વધી રહ્યો છે. તમારા ગામથી આપણે હજુ બહુ દૂર આવ્યાં નથી. ચાલો, પાછાં ફરીએ!”
રેખા વિચારમાં પડી ગઈ : “પાછા ફરીને ચાલવામાં તો…..”
રેખાએ સાંભળ્યું નહિ હોય તેમ લાગતાં એ ફરીથી બોલ્યા : “વેવાઈ અને વેવાણ પણ રાજી થશે.”
“ના, ના. આપણા ઘરે પહોંચીશું તો મારાં સાસુ પણ રાજી થઈ જશે.” કપડાં સરખાં કરતાં રેખાએ કહ્યું.
– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે)