મહાબલીપુરમના આ મંદિરોને જોયું નથી, તો સમજી લો તમે કાઈ પણ જોયું નથી.

0
305

સુંદર હોવાની સાથે એકદમ અલગ અને અદભુત છે મહાબલિપુરમના આ મંદિરો. મહાબલીપુરમાં ફરવાના ઘણા ઉત્તમ સ્થળો છે, પરંતુ જો તમે મહાબલીપુરમમાં છો અને અને તમે ત્યાંના મંદિરોનો પ્રવાસ નથી કર્યો તો તમારું ફરવાનું અધૂરું જ રહી જશે.

મહાબલીપુરમના મંદિરોની ખાસિયત અને મહત્વનો તમને અદાઝ આ વાત ઉપરથી લગાવી શકાય છે કે અહિયાં આવેલા મંદિરોને કારણે જ મહાબલીપુરમ આજે એક યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે. તેમાંથી દરેક મંદિર એક વાસ્તુશિલ્પ આશ્ચર્ય છે. જો તમે જૂની ડીઝાઈન અને નકસીકામના મંદિરો જોવા માગો છો, તો તમારે મહાબલીપુરમ મંદિરો જરૂર જોવા જોઈએ. તો આવો આજે અમે તમને મહાબલીપુરમના થોડા ઉત્તમ મંદિરો વિષે જણાવીએ.

શોર મંદિર : ગ્રેનાઈટ માંથી બનેલું આ મંદિરમાં ત્રણ ગર્ભગૃહ છે, જેમાંથી બે ભગવાન શિવ અને એક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. સિંગલ રોક કટ સ્ટ્રક્ચરનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. મંદિરનું વાસ્તવિક નામ ખબર નથી. પરંતુ સમુદ્રની નજીકથી જોતા, તેને શોર મંદિર કહેવામાં આવે છે. આકર્ષક તથ્ય એ છે કે હાલના મંદિર સાત મંદિરોના પરિસર માંથી એકમાત્ર સેષ છે.

કૃષ્ણા મંદિર : આ મંદિર દરિયા કાંઠાની પાસે મહાબલીપુરમના પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. આ 16 મી સદીમાં વિજયનગર સામ્રાજ્ય સુધી એક ઓપર-એયરના પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. મંદિરોની દીવાલો લોકોના રક્ષણ માટે ગોવર્ધન પર્વત ઉપાડનારા કૃષ્ણની કહાનીને દર્શાવે છે. આ ગુફા મંદિરમાં ઘણા લોકો દૈનિક દર્શન માટે આવે છે. મંદિર એક યુનેસ્કો વિશ્વ અજાયબી સ્થળ છે.

એટીરાનાચંદા ગુફા મંદિર : આ મંદિરનું વાસ્તુશિલ્પ આશ્ચર્યજનક તો છે જ, સાથે જ તે મહાબલીપુરમના સૌથી જુના મંદિરો માંથી એક છે. મંદિરમાં એક ઓપન એયર શિવલિંગ છે, જેની બરોબર સામે નંદી બળદની મૂર્તિ છે. નંદીની મૂર્તિકળા પાસે, જ્યાં સીડી સમાપ્ત થાય છે, ત્યાં એક પથ્થર ઉપર મહિષાસુરમર્દીનીનું ચિત્રણ કરતા રાક્ષસ મહિષાસુરનો વધ કરે છે. તેની બાજુમાં દુર્લભ ધરા લિંગ છે, જે કાળા, ચમકદાર પથ્થરથી બનાવવામાં આવ્યું છે.

તેની બરોબર પાછળની દીવાલ ઉપર ભગવાન શિવ સોમસ્કંદના રૂપમાં અંકિત છે. તેના બંને અને અનેક ત્રિમૂર્તિ અવતારમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા છે. (જો ભગવાન શિવની આ કહાની ન સંભળાવી હોત તો અમરનાથ ગુફા ન હોત)

સ્ટાલસયાના પેરુમલ મંદિર : મહાબલીપુરમના મંદિરોના ઈતિહાસમાં આ મંદિરનું એક વિશેષ સ્થાન છે. 108 વિષ્ણુ મંદિરો માંથી જેનો ઉલ્લેખ ખાસ કરીને તમિલ સંતો દ્વારા કરવામાં આવી છે, તે તેમાંથી એક છે. આ મંદિર સ્ટાલસયાના પેરુમલ અવતાર અને ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારને સમર્પિત છે. અહિયાં બે અલગ અલગ મંદિર છે. તેમાંથી દરેક માટે એક સમર્પિત છે. આ મંદિર ભૂતનાથ અજવારનું જન્મસ્થળ પણ છે. આ મંદિરની સુંદરતા જોવા જેવી છે. મંદિરનો ઉલ્લેખ ઘણા ઐતિહાસિક પુસ્તકો અને લોકકથાઓમાં કરવામાં આવ્યો છે.

વરાહ ગુફા મંદિર : આ એક રોક કટ ગુફા મંદિર છે, જે કોરોમંડળ કાંઠા ઉપર આવેલું છે. આ મંદિર 7 મી સદી પૂર્વનું છે અને ભારતીય રોક કટ વાસ્તુકળાનું આદર્શ ઉદાહરણ છે. દક્ષીણ ભારતનું આ મંદિર એક અન્ય યુનેસ્કો વિશ્વ અજાયબી છે. આખા મંદિરમાં બોદ્ધ ડીઝાઈન ઘણું પ્રભાવશાળી તત્વ જોવા મળે છે. પોતાની રીતે નાનું છે, તેમ છતાં પણ અહિયાંની વાસ્તુકળા તમને ઘણી પ્રભાવિત કરશે. આ કારણે આ મહાબલીપુરમમાં જવા માટે ઉત્તમ સ્થળો માંથી એક છે.

કરુંકાથ્મ્મન મંદિર : કરુકામ્મન મંદિર સરહદ ઉપર આવેલું છે. મંદિર દેવી કરુ કથા અમ્મનને સમર્પિત છે. તેની મૂર્તિમાં થોડી અનોખી વિશેષતા છે. મૂર્તિ તેના તેના પગની નીચે દાનવને દબાવેલા ઘણા બધા હથીયારો સાથે બેઠેલી પ્રતીત થાય છે. મહાબલીપુરમમાં બીજાની સરખામણીમાં તે એક નાનું મંદિર છે. તે એક પ્રસિદ્ધ, જુનું અને પારંપરિક મંદિર છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.