સ્વપ્નો તણાં સોદા , કદી થાતાં નથી હોતા,
લાગણીના મૂલ્યો પણ , અંકાતા નથી હોતા.
મોતી ફટકિયા હોય તો તો , વાત જુદી છે.
પાણીદાર મોતી , એમ , નંદવાતા નથી હોતા.
સ્મિત વેરતાં વદનો ને , જોવાની પડી આદત,
કોઈ ના અશ્રુઓ મારા થી જોવાતા નથી હોતા.
હશે એના ઉપર વિશ્વાસ , ખુદથી ય વધારે,
દિલ ના દ્વારો , બીજા પાસે , ખોલાતા નથી હોતા.
એ ‘ચણ’ને તો જુવે છે , પણ ‘મન’ ને ય જુવે છે,
પંખીડા એમ ન એમ, હેવાતા નથી હોતા.
એક શ્વાસ પણ કોઈ થી ઓછો થઇ નથી શકતો,
પ્રભુ એ દીધા છે, એમ લુ ટાતા નથી હોતા.
– ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)