એપ્રિલમાં નહીં થાય કોઈ માંગલિક કાર્યો, જાણો કારણ અને કયા બે ગ્રહ છે તેના માટે જવાબદાર.
જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, ગુરુ ગ્રહ (બૃહસ્પતિ) જ્યારે સૂર્યની નજીક લગભગ 11 ડિગ્રી પર આવે છે ત્યારે તે અસ્ત થાય છે. દેવગુરુ બૃહસ્પતિ ધર્મ અને શુભ કાર્યોનો કારક ગ્રહ છે. આ કારણથી ગુરુ અસ્ત થાય ત્યારે શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ વખતે 2 થી 29 એપ્રિલ સુધી ગુરુ અસ્ત રહેશે. આ 27 દિવસો માટે લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં.
સૂર્યના રાશિ પરિવર્તનના 16 દિવસ પછી ગુરુ અસ્ત થાય છે. પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા જણાવે છે કે 15 માર્ચ, બુધવાર, સવારે 6:47 કલાકે, સૂર્યએ દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીનમાં પ્રવેશ કર્યો હતો. આ રાશિમાં ગુરુ પહેલેથી જ હાજર છે. સૂર્યએ રાશિ બદલ્યાના 16 દિવસ પછી ગુરુ અસ્ત થશે. જે એપ્રિલ 29 સુધી અસ્ત રહેશે.
2 મે માંગલિક કાર્યોના મુહૂર્ત :
ગુરુના અસ્ત થવાને કારણે સમગ્ર એપ્રિલ મહિનામાં લગ્ન, સગાઈ અને ગૃહ પ્રવેશ સહિતના કોઈપણ શુભ કાર્ય માટે કોઈ મુહૂર્ત રહેશે નહીં. જો કે 29 એપ્રિલે ગુરુનો ઉદય થશે, પરંતુ લગ્ન-સગાઈ માટેનો મુહૂર્ત 2 મે થી અને ગૃહપ્રવેશના મુહૂર્ત 3 મે થી શરૂ થશે.
સૂર્ય અને ગુરુનો એકબીજાની રાશિમાં પ્રવેશ :
વૈદિક જ્યોતિષમાં ગુરુને શુભ કાર્યોનો પ્રતિનિધિ ગ્રહ માનવામાં આવે છે. ડો.મિશ્રા કહે છે કે સૂર્ય જ્યારે ગુરુની રાશિ ધનુ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુ નબળો પડી જાય છે. તેનાથી આ ગ્રહની અસર ઘણી ઓછી થઈ જાય છે.
શુભ કાર્યો માટે ગુરુનું મજબૂત સ્થિતિમાં હોવું ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે 15 માર્ચથી 15 એપ્રિલ સુધી શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે. ખાસ કરીને લગ્નો બિલકુલ કરવામાં આવશે નહીં. તેનું કારણ એ છે કે લગ્ન માટે સૂર્ય અને ગુરુ બંને ગ્રહો બળવાન હોવા જોઈએ. તેમજ લગભગ 12 વર્ષમાં એક વખત જ્યારે ગુરુ ગ્રહ સૂર્યની રાશિ સિંહ રાશિમાં આવે છે ત્યારે પણ માંગલિક કાર્યો ન કરવા જોઈએ.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.