ઓછા શબ્દોમાં જાણો કર્મનું કાળચક્ર વિષે, આપણે જે કરીશું એજ આપણને વ્યાજ સહિત પાછું મળશે.

0
425

કર્મનું કાળચક્ર

એક દિવસ ગંગાને પુછવામાં આવ્યું કે તારા પાણીમાં ન્હાવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે, તો એ પાપનું તું શું કરે છે?

ગંગા એ કહ્યું : હું એ સાગરમાં નાંખુ છું.

સાગરને પૂછવામાં આવ્યું, તું એ પાપનું શું કરે છે?

સાગરે કહ્યું કે હું તો બધું વાદળો ને આપું છું……

વાદળોને પૂછયું, તું આ પાપનું શું કરે છે?

વાદળે સરસ જવાબ આપ્યો…

હું વરસાદના રૂપમાં એમનાં જ ઘરમાં વરસાવી આવું છું…..

ધ્યાન રાખો, કર્મનું કાળચક્ર આવું જ હોય છે, આપણે જે કરીશું એજ આપણને વ્યાજ સહિત પાછું મળશે.

સમાધાની બનો અને કોઈ ને દુઃખ થાય એવું કાર્ય ન કરો.

જીવનમાં પૈસાનો પાવર, ઘમંડ અને અહંકાર કોઈનાં થયા નથી કે કોઈના થવાનાં નથી. જે કામ પૈસો ન કરી શકે એ કામ સબંધથી થઈ શકે છે.

સંબંધ એ એક એવું વૃક્ષ છે

કે જે…લાગણી દ્વારા ઝૂકી જાય,

સ્નેહ દ્વારા ઉગી જાય

અને

શબ્દો દ્વારા તૂટી જાય