આ જગ્યાએ પર છે હનુમાનજીનું દુર્લભ રૂપ, જાણો રસપ્રદ કથા
ભક્તોના ભક્ત કહેવાતા પવન પુત્ર હનુમાનનું અદ્ભુત સ્વરૂપ રામની કર્મ ભૂમિ ચિત્રકૂટમાં જોવા મળે છે અને ભક્તોમાં એવી પણ માન્યતા છે કે આ હનુમાન તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. કહેવાય છે કે ત્રેતાયુગમાં ઋષિ અત્રિમુનિની તપસ્યાને કારણે મંદાકિની નદીના ખોળામાંથી વૃદ્ધ હનુમાનજીની આ દુર્લભ પ્રતિમા પ્રગટ થઈ હતી. ચિત્રકૂટના ભક્તો અનુસાર, આ વૃદ્ધ હનુમાનજીના દર્શન કરવા માત્રથી ભક્તોની દરેક પરેશાનીઓ એક જ ક્ષણમાં દૂર થઈ જાય છે. આ મૂર્તિ 400 વર્ષ જૂની હોવાનું કહેવાય છે અને ત્યારે આને બનારસના વિદ્વાન પંડિતોએ મંદિરમાં સ્થાપિત કરી હતી.
ભોલે શિવ શંકરનો દસમો અવતાર ગણાતા હનુમાનનું આ સ્વરૂપ માત્ર ચિત્રકૂટમાં જ જોવા મળે છે. શિવ અવતાર વૃદ્ધ હનુમાનજીને અહીં ભાંગનો અનોખો ભોગ લગાવવામાં આવે છે. ભલે તમે માનતા ન હોવ, પરંતુ એ વાત સાચી છે કે વૃદ્ધ હનુમાનને પ્રસન્ન કરવા ભક્તો ભાંગ ચઢાવે છે! ભક્તોનું માનવું છે કે વૃદ્ધ હનુમાનને ભાંગ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
આ મંદિરમાં દર મંગળવારે હનુમાનજીનો પાઠ કરીને ભાંગનો ભોગ લગાવવામાં આવે છે. વૃદ્ધ હનુમાનજીના આ મંદિરમાં પરંપરાગત રીતે ભાંગને ઘોટવામાં આવે છે. તે પછી તેને ભોગ તરીકે ચઢાવવામાં આવે છે. એવું કહેવાય છે કે વૃદ્ધ હનુમાનજી આ ભાંગથી પ્રસન્ન થઈને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અહીંના પૂજારીઓ વગેરે પણ કહે છે કે ભગવાન શંકરને ભાંગ ચઢાવતા ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે વૃદ્ધ હનુમાનને તેમના પ્રિય રામ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.
તમને બીજી એક માન્યતા વિશે કહું કે ત્રેતા, દ્વાપર અને કલયુગમાં હનુમાનનું સ્વરૂપ સતત બદલાતું રહ્યું છે. લંકાના વિજય પછી ભગવાન શ્રી રામે હનુમાનજીને ચિત્રકૂટમાં નિવાસ કરવાનો આદેશ આપ્યો હતો. ભક્તોનું માનવું છે કે હનુમાનજી આજે પણ ચિત્રકૂટમાં આ જ ચમત્કારિક સ્વરૂપમાં નિવાસ કરે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.