મિત્રો આપણા હિન્દુ ધર્મ મા હજારો તહેવારો, વ્રતો, ક્રિયાઓ કર્મો કાંડૌ, ઉપવાસ, એકટાણા થઈ રહયા છે. સમાજ ની રૂહ પ્રમાણે આપણે ધણુબધુ કરીએ છીએ. પણ એ બધાની પાછળ નો સાચો ભાવાર્થ સાવ ખોવાઈ ગયો છે. મતલબ કે આપણે સામાન્ય ઉપવાસ કરીએ છીએ તોય એક ટાઈમ ભુખ્યા રહેવાનુ ને બીજા ટાઈમે પેટ ભરીને દાબવાનુ, એ પણ હવે તો કેવુ બધુ આવી ગયુ છે. ફરાળી રોટલી, ફરાળી ગોટા, ફરાળી સમોસા, જે ખાવુ હોય તે ફરાળી. અરે ભાઈ આ કોઈ ઉપવાસ નથી.
ઉપવાસ નો આર્થ આપણા પુરાણો મા આપ્યો છે કે સાચો ઉપવાસ કોને કહેવાય. પણ મિત્રો આપણે એ વાત પછી કરીશુ, પણ આજ મારે વાત કરવી છે, મ**રન પછીની થતી ગલત વિધીઓની. હા મિત્રો, માણસ ના મ **રન પછી જે જે વિધીઓ થાય છે, એ પુરી રીતે ગલત રીતે થાય છે. પણ એની પાછળ નુ કારણ કે લોકો પાસે સાચી માહીતી નથી, જ્ઞાન નથી. કારણકે આપણને એ જ્ઞાન આપનારા સાચા સંતો હવે રહયા નથી.
પહેલા ના જમાનામાં સંતો શાસ્ત્રો ની ચર્ચા કરી લોકો ને સાચુ જ્ઞાન આપતા. પણ હવે એવુ રહયુ નથી પણ આ લેખના માધ્યમથી અમે આપના સુધી શાસ્ત્રોનુ જ્ઞાન, જીવન જીવવા ની સાચી સમજ લાવવા માગીએ છીએ. એટલે આજે આ કોલમ શરૂ કરૂ શુ, આવો જાણીએ.
મિત્રો આવો જાણીએ, કે મ**રન પછીની થતી વિધીની સાચી રીત શુ છે? એની પાછળનુ કારણ શુ છે? અને આપણે ક્યાં ક્યાં કઈ ભુલો કરીએ છીએ.
(1) પ્રથમ તો માણસ નુ મ**રન થાય ત્યારે એની બોડી ને જમીન પર સુવડાવતા પહેલા, ગાયના છાણ નુ લીપણ કરવામાં આવે છે. શ્રાદ્ધ સુતક, અને પંચમ શ્રૃતિ મા જણાવ્યા પ્રમાણે બોડી ની આસપાસ બે બે ગજ એટલે કે ચાર ચાર ફુટ સુધી લીપણ કરવુ જોઈએ. કારણકે મ**રન પછી બોડીમાં થી હજારો પ્રકારના સુક્ષ્મ જીવાણુઓ બહાર નીકળે છે. ગાયના છાણ ના લીપણ કરવાથી એ ફેલાતા અટકે છે.
પણ હવે તો ગાયના છાણનૂ એક લીટુ માત્ર કરવામાં આવે છે, એ પણ એવુ બોલી ને શાશતર પ્રમાણે કરવુ જોઈએ.
(2) બીજુ મૃતશરીર ને પુરુષ હોય તો ઉતર દિશામાં માથુ રાખી, અને સ્ત્રી હોય તો દક્ષિણ દિશામાં માથુ રાખીને સુવડાવવા મા આવે છે. આવુ કરવા પાછળ નુ કારણ એ છે કે, સ્ત્રી નૈ દક્ષિણ માથી અને પુરુષ ને ઉતર દિશામાં થી કેશાકર્ષણ વધારે થાય છે, એટલે એની બોડી ગંધાયા વગર લાંબો સમય સુરક્ષિત રહી શકે. પણ આ ક્રિયા અત્યારે કરવા ખાતર થાય છે, આની પાછળ નુ કારણ કોઈને ખબર નથી.
(3) ત્રીજું મ રુ**ત માણસ ના મુખમાં જીભ ઉપર તાંબા નો સિકકો મુકવામાં આવે છે, એનો અર્થ એ છે કે મ રુ**ત માણસ નો જી વ જો હજુ બ્રહ્માંડ મા એટલે કે તાળવે હોય તો એ જીભ પર તાંબા નો સ્પર્શ થતા પાછો આવે છે ને મ રુ**ત માણ સ જીવ તો થાય છે. પણ હવે તો શુકન પુરતો કે વીધી પુરી કરવા પુરતો સ્ટીલ નો કોઈપણ સીકકો જીભ પર મુકી દેવામા આવે છે.
મિત્રો આગળ હજુ આવુ ધણુ બધુ છે, જે આપણે બીજા ભાગમાં જોઈશુ.
હાલ આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવશો, જેથી બીજા આવા ધણા બધા લેખો તૈયાર કરવા નુ મને બળ મળે.
સંકલન : કિશોર ઠક્કર, દક્ષ.
(સાભાર વીક ચૌહાણ, અમર કથાઓ ગ્રુપ)