પંખી નો છે આ મેળો , રહીયે ન રહીયે કાલે,
ખીલતી રહે બહારો , સદાય નવા ફાલે.
અનંત જીવન સરિતા , વહે છે , ને વહેતી રહેશે,
આખાય જગ ની ચિંતા , માથે લીધે ન ચાલે.
નિર્માણ હોય જ્યારે , ત્યારે જ બને ઘટના,
પ્રયત્ન છતાં ફૂલો , ખીલે નહીં અકાળે.
નિસર્ગ ઉપર કોઈ નો , કાબુ ક્યાં હોય છે?
પંખી -પવન- ને વાદળ, એની જ ચાલે -ચાલે.
સદકાર્ય કરવા હો તો , આજે જ કરી લેજો,
નાજુક છે દોર શ્વાસ નીં , તૂટી ય જાય કાલે.
આપણેં જ નહીં ,અહીં વસે , પ્રાણીને પક્ષીઓ,
દિગંત ઓઢે , રીતુ બધી સહે, વિના સવાલે.
ભાવિ ના ગર્ભ માં છુપાયા છે , ઘણાં વિસ્મય,
છે શક્ય , વિજય હોય , લખેલો તમારા ભાલે,
ઈશ્વર ની યોજના ને , સમજી શકે ન માનવ,
નાચે છે જગત આખું , એની આંગળીનાતાલે.
ગણો ગુરુ -પથદર્શક , તો એમને ગણજો,
જગ છોડીને , જે ચરણોં, જગત્પતિઃના ઝાલે.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)