આ રંગથી ધૂળેટી રમવાથી વધે છે સમાજમાં માન-સન્માન અને ભાઈ સાથે પ્રેમ, જાણો કયા રંગથી ધૂળેટી રમવી.

0
541

આ રંગથી ધૂળેટી રમવાથી પરસ્પર મતભેદો અને મનભેદો સમાપ્ત થાય છે અને જીવનમાં પ્રેમ વધે છે.

રંગો કોને પસંદ નથી હોતા? જો જીવનમાં રંગો ભરાય જાય તો જીવન જીવવાની મજા પણ બમણી થઈ જાય છે. એ જ રીતે ધૂળેટીનો તહેવાર પણ આવે છે, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, જે બહુ જલ્દી આવવાનો છે. હવે સમય છે તમારા જીવનમાં તેમજ અન્યના જીવનમાં રંગ ફેલાવવાનો. હાલમાં ફાગણ મહિનાનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે અને દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા (પુનમ) ના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે.

આ વર્ષે ધૂળેટી 18 મી માર્ચે છે. આ દિવસે લોકો રંગબેરંગી અબીલ-ગુલાલ છાંટીને એકબીજા પર નાખે છે. દરેક વ્યક્તિનો ચહેરો લાલ, લીલા, ગુલાબી, પીળા વગેરે જેવા રંગોથી રંગાયેલા હોય છે. રંગોને સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો રંગોનો ઉપયોગ કરવામાં આવે તો તમારા નસીબને ચમકતા કોઈ રોકી શકશે નહીં. આવો જાણીએ જીવનમાં કયા રંગો લાવે છે ખુશીઓ, જેનાથી ખુલે છે બંધ નસીબના તાળા.

ગુલાબી રંગ : આ રંગ પ્રેમનો રંગ હોય છે. આ રંગથી ધૂળેટી રમવાથી પ્રેમ વધે છે. જે લોકો તેમના જીવનસાથી અથવા પ્રેમી સાથે ધૂળેટી રમવાની તૈયારી કરી રહ્યા છે, તેમને આ રંગથી ધૂળેટી રમવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી સંબંધ વધુ મજબૂત થશે. આ રંગથી ધૂળેટી રમવાથી પરસ્પર મતભેદો અને મનભેદો સમાપ્ત થાય છે અને જીવનમાં પ્રેમ વધે છે.

લાલ રંગ : લાલ રંગને ઉર્જા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગનું પ્રતિનિધિત્વ ગ્રહોના સેનાપતિ મંગળ કરે છે. આ રંગના ઉપયોગથી મંગળ બળવાન બને છે. લાલ રંગ કે ગુલાલથી ધૂળેટી રમવાથી સ્વાસ્થ્ય અને માન-સન્માન વધે છે. જે લોકો સૈન્ય દળ સાથે સંકળાયેલા હોય છે તેમના માટે લાલ રંગથી ધૂળેટી રમવી વિશેષ શુભ માનવામાં આવે છે.

જો કે, જે લોકોને કોઈ પણ વાત પર જલ્દી ગુસ્સે થઈ જાય છે, જેમનું બીપી હાઈ રહે છે અથવા જે લોકોના વિચારોમાં નેગેટિવિટી વધુ હોય છે તેવા લોકોએ આ રંગનો ઉપયોગ ટાળવો જોઈએ. જો ભાઈ સાથે વિવાદ ચાલી રહ્યો હોય અથવા ભાઈના આશીર્વાદ અને શુભકામનાઓ લેવાની હોય તો ભાઈને લાલ રંગનું તિલક કરવું જોઈએ. આ કારણે મંગળની કૃપાથી ભાગ્ય ખુલે છે.

લીલો રંગ : લીલો રંગ સમૃદ્ધિ, પ્રેમ, પ્રગતિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. લીલો રંગ બુધ ગ્રહને સમર્પિત છે. લીલા રંગના ઉપયોગથી બુધ બળવાન બને છે. તેથી, લીલા રંગ અથવા ગુલાલથી ધૂળેટી રમવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, પ્રેમ, પ્રગતિ અને આરોગ્ય આવે છે. તે નિર્ણય લેવાની ક્ષમતા, બુદ્ધિ અને વિવેકબુદ્ધિને વધારે છે. વેપારમાં પ્રગતિ થાય છે.

પ્રેમ સંબંધોને મજબૂત કરવા માટે તમે લીલા રંગથી પણ ધૂળેટી રમી શકો છો. આ રંગ જીવનમાં શાંતિ લાવે છે. લીલો રંગ ઉત્તરનું પ્રતીક માનવામાં આવે છે. બહેનને પ્રસન્ન કરવાથી બુધની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી બહેનને લીલો રંગ લગાવવાથી શુભ ફળ મળે છે.

પીળો રંગ : ભગવાન કૃષ્ણને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. પીળા રંગથી ધૂળેટી રમવાથી પ્રેમ, સુંદરતા અને આનંદ વધે છે. પીળો રંગ દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેના ઉપયોગથી યશ અને કીર્તિ વધે છે. જો કોઈના સંબંધમાં સમસ્યાઓ ચાલી રહી છે, વિવાદ વધારે થાય છે તો તેમની સાથે પીળા રંગથી ધૂળેટી રમો. આના કારણે બંનેના સંબંધો વચ્ચેના નકારાત્મક વિચારો ઓછા થાય છે અને હતાશા દૂર થાય છે. ગુરુના આશીર્વાદ લેવા જોઈએ અને આદર સાથે ગુરુની પૂજા પીળા રંગના તિલકથી કરવી જોઈએ, તેનાથી ગુરુના આશીર્વાદ મળે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.