પ્રશ્ન : રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
શ્રી ગુરુ નાનજી
પ્રશ્ન : વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
જવાબ : મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર
પ્રશ્ન : શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
જવાબ : શાંતા-ઋષ્યશૃંગ
પ્રશ્ન : એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
જવાબ : આદિગ્રંથ
પ્રશ્ન : શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જવાબ : સોમવતી-શાંતનુ
પ્રશ્ન : અનુષ્ઠાન એટલે શું?
જવાબ : કોઈ પણ મંત્રના સવા લાખ જાપ
પ્રશ્ન : ભગવાન શ્રીરામના ઈષ્ટ દેવતા કોણ હતા?
જવાબ : શિવ
પ્રશ્ન : કૈકયીએ કયા યુ ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
જવાબ : શંબરાસુર
પ્રશ્ન : શબરીનું સાચું નામ શું હતું?
જવાબ : શ્રમણા
પ્રશ્ન : રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
જવાબ : રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી
પ્રશ્ન : પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
જવાબ : વડ, પીપળો, આંબલી, બિલી, અશોક
પ્રશ્ન : સુંદરકાંડમાં રામ, હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
જવાબ : રામ-૫૧, હનુમાન-૨૧, સુંદર-૯
પ્રશ્ન : બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?
જવાબ : તાડકા અને સુંદ
પ્રશ્ન : લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
જવાબ : લંકિની
પ્રશ્ન : મંદોદરી કોની પુત્રી હતા?
જવાબ : માયાસુર
પ્રશ્ન : સંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
જવાબ : ઔષધિપ્રસ્થ
પ્રશ્ન : રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
જવાબ : પ્રાકૃત
પ્રશ્ન : સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
જવાબ : વેદવતી
પ્રશ્ન : રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
જવાબ : રઘુકુલ રીત સદાચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઇ
પ્રશ્ન : ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
જવાબ : માંડવી અને શ્રુતકીર્તિ
પ્રશ્ન : વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
જવાબ : વરસાદ-ચાસ
પ્રશ્ન : સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
જવાબ : લવ-કુશ
પ્રશ્ન : સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
જવાબ : ઋક્ષરજસ
પ્રશ્ન : ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુ ધથયું હતું?
જવાબ : દંદુભી
પ્રશ્ન : લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
જવાબ : ત્રિકુટ
પ્રશ્ન : હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
જવાબ : મકરધ્વજ
પ્રશ્ન : સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?
જવાબ : ૯૨૨૮
પ્રશ્ન : રામાયણમાં ભગવાન શ્રી રામનો દેહ ત્યાગ કઈ રીતે થાય છે?
જવાબ : સરયૂ નદીમાં જળસમાધિ
પ્રશ્ન : અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?
જવાબ : ત્રીજટા
પ્રશ્ન : રાવણના માતા-પિતા કોણ હતા?
જવાબ : કૈક્સી-વિશ્ર્વા
પ્રશ્ન : ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
જવાબ : યુધાજીત
પ્રશ્ન : વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
જવાબ : ૨૪૦૦૦
પ્રશ્ન : સીતાજીના માતાજીનું નામ જણાવો?
જવાબ : સુનયના
પ્રશ્ન : સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?
જવાબ : પીનાકપાણી
પ્રશ્ન : વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
જવાબ : તપ
– સાભાર માલદેવ સોલંકી (અમર કથાઓ ગ્રુપ)