રામાયણનું જ્ઞાન : રામાયણ સાથે જોડાયેલા આ પ્રશ્નોમાંથી તમને કેટલાના જવાબ આવડે છે.

0
2832

પ્રશ્ન : રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?

શ્રી ગુરુ નાનજી

પ્રશ્ન : વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?

જવાબ : મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર

પ્રશ્ન : શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.

જવાબ : શાંતા-ઋષ્યશૃંગ

પ્રશ્ન : એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?

જવાબ : આદિગ્રંથ

પ્રશ્ન : શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?

જવાબ : સોમવતી-શાંતનુ

પ્રશ્ન : અનુષ્ઠાન એટલે શું?

જવાબ : કોઈ પણ મંત્રના સવા લાખ જાપ

પ્રશ્ન : ભગવાન શ્રીરામના ઈષ્ટ દેવતા કોણ હતા?

જવાબ : શિવ

પ્રશ્ન : કૈકયીએ કયા યુ ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?

જવાબ : શંબરાસુર

પ્રશ્ન : શબરીનું સાચું નામ શું હતું?

જવાબ : શ્રમણા

પ્રશ્ન : રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?

જવાબ : રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી

પ્રશ્ન : પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?

જવાબ : વડ, પીપળો, આંબલી, બિલી, અશોક

પ્રશ્ન : સુંદરકાંડમાં રામ, હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?

જવાબ : રામ-૫૧, હનુમાન-૨૧, સુંદર-૯

પ્રશ્ન : બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?

જવાબ : તાડકા અને સુંદ

પ્રશ્ન : લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?

જવાબ : લંકિની

પ્રશ્ન : મંદોદરી કોની પુત્રી હતા?

જવાબ : માયાસુર

પ્રશ્ન : સંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?

જવાબ : ઔષધિપ્રસ્થ

પ્રશ્ન : રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?

જવાબ : પ્રાકૃત

પ્રશ્ન : સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.

જવાબ : વેદવતી

પ્રશ્ન : રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?

જવાબ : રઘુકુલ રીત સદાચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઇ

પ્રશ્ન : ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.

જવાબ : માંડવી અને શ્રુતકીર્તિ

પ્રશ્ન : વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?

જવાબ : વરસાદ-ચાસ

પ્રશ્ન : સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?

જવાબ : લવ-કુશ

પ્રશ્ન : સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.

જવાબ : ઋક્ષરજસ

પ્રશ્ન : ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુ ધથયું હતું?

જવાબ : દંદુભી

પ્રશ્ન : લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?

જવાબ : ત્રિકુટ

પ્રશ્ન : હનુમાનજીના પુત્રનું નામ જણાવો?

જવાબ : મકરધ્વજ

પ્રશ્ન : સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?

જવાબ : ૯૨૨૮

પ્રશ્ન : રામાયણમાં ભગવાન શ્રી રામનો દેહ ત્યાગ કઈ રીતે થાય છે?

જવાબ : સરયૂ નદીમાં જળસમાધિ

પ્રશ્ન : અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?

જવાબ : ત્રીજટા

પ્રશ્ન : રાવણના માતા-પિતા કોણ હતા?

જવાબ : કૈક્સી-વિશ્ર્વા

પ્રશ્ન : ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?

જવાબ : યુધાજીત

પ્રશ્ન : વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?

જવાબ : ૨૪૦૦૦

પ્રશ્ન : સીતાજીના માતાજીનું નામ જણાવો?

જવાબ : સુનયના

પ્રશ્ન : સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?

જવાબ : પીનાકપાણી

પ્રશ્ન : વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?

જવાબ : તપ

– સાભાર માલદેવ સોલંકી (અમર કથાઓ ગ્રુપ)