રામબાણ વાગ્યાં હોય તે જાણે!
પ્રભુના બા ણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે?
રામબાણ વાગ્યાં હોય તે જાણે…
ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં,
તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં,
એ તો વેદ-વચન પરમાણે…
રામબાણ વાગ્યાં હોય…
મોરધ્વજ રાજાનું મન હરી લેવા
હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવ ત મસ્તક પર મેલ્યું,
પત્ની – પુત્ર બેઉ તાણે…
રામબાણ વાગ્યાં હોય…
મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને,
રાણોજી ખડ્ગ જ તાણે;
વિશના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા
એ તો અમૃતને ઠેકાણે…
રામબાણ વાગ્યાં હોય…
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા,
એવું ધનો ભગત ઉર આણે…
રામબાણ વાગ્યાં હોય…