“સામે કિનારે જાવું” – ભક્ત મીંરાબાઈની આ રચના કેવી ભક્તિ કરવી તે શીખવાડે છે.

0
2312

પ્રેમ જોગીડા જોળી લઈને,

જોગણ હું બની જાઉં

જોગી મારે સામે કિનારે જાવું.

જો તમે રામ બનો તો,

હું શબરી થઈ ને એંઠા બોર ધરાવું

જોગી મારે સામે કિનારે જાવું.

આ તનનો હું તંબુર બનાવું,

નેહનખલીએ નાચ નચાવું

રોમ રોમ રણકાર ઉઠે ત્યાં,

અલખ નિરંજન ગાઉ

જોગી મારે સામે કિનારે જાવું.

આ દુનિયામાં કાઈ સાર ન જોયો,

જનમ બધો એળે ખોયો

ક્રિષ્ન ભરોસે ઝેર પીનારી,

મીંરા હું બની જાઉં

જોગી મારે સામે કિનારે જાવું.

રચના – ભક્ત મીંરાબાઈ.

(સાભાર ચંદુલાલ પરમાર, અમર કથાઓ ગ્રુપ)