ભીષ્મ પિતામહએ શા માટે ભીમને પાપી શિશુપાલનો અંત કરતા અટકાવ્યો, તેનું કારણ ઘણા ઓછા લોકો જાણે છે

0
2253

શિશુપાલના ઉદ્ધત અને અપમાનજનક શબ્દોને કારણે ભીમ તેનો અંત કરવા દોડ્યો પણ ભીષ્મએ તેને અટકાવ્યો, જાણો કેમ

યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞના સમાપન સમયે જ્યારે ચેદિનરેશ શિશુપાલે ભગવાન કૃષ્ણનું સમ્માન કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો, ત્યારે ભીષ્મ પિતામહે તેમને ઘણું સાચું ખોટું સંભળાવ્યું. આના પર શિશુપાલ ખુબ ગુસ્સે થયો અને ત્યાં હાજર કેટલાક રાજાઓને પોતાના પક્ષમાં કરીને પાંડવોનેમા-રી ના-ખ-વા-ની ધમકી આપી.

શિશુપાલની ઉદ્ધત અને કડવી વાતો સાંભળીને મહાબલી ભીમસેન હચમચી ગયો અને તેનેમા-ર-વા દોડ્યો, પરંતુ પિતામહ ભીષ્મે તેને રોક્યો. ધર્મજ્ઞ ભીષ્મે ભીમસેનને હસીને કહ્યું કે – ભીમ તેને છોડી દે, અત્યારે થોડા સમયમાં બધા લોકો જોશે કે તે મારી ક્રોધાગ્નિમાં કોઈ પતંગોની માફક સળગી રહ્યો છે. તેમણે શિશુપાલની વાત પર ધ્યાન ન આપ્યું અને ભીમને સમજાવવા લાગ્યા.

ભીષ્મે શિશુપાલના જન્મની વાર્તા કહી :

ભીષ્મે કહ્યું કે – ભીમસેન, શિશુપાલ જ્યારે ચેદિરાજના વંશમાં જનમ્યો હતો ત્યારે તેની ત્રણ આંખો અને ચાર હાથ હતા. જન્મતાની સાથે જ એ બાળકોની જેમ રડવાને બદલે ગધેડાની જેમ ભૂંકતો હતો. માતા-પિતા અને સગાંવહાલાં સૌ તેનો ત્યાગ કરવાનું વિચારતા હતા, ત્યારે એક આકાશવાણી થઈ કે – રાજન, આ તારો પુત્ર મહાબલી થશે. તમે ડરશો નહીં, નિશ્ચિન્ત થઈને તેનું પાલનપોષણ કરો.

આ સાંભળીને તેની માતાએ હાથ જોડીને પ્રાર્થના કરી કે, જેમણે મારા પુત્ર વિશે ભવિષ્યવાણી કરી છે, પછી ભલે તે કોઈ પણ ભગવાન કે દેવતા હોય, હું તેમને પ્રણામ કરું છું અને જાણવા માંગુ છું કે મારો આ પુત્ર કોના હાથે મ-રૂ-ત્યુ પામશે. એટલે આના ઉપર ફરીથી ભવિષ્યવાણી થઈ કે જેના ખોળામાં જવાથી તારા પુત્રના વધારાના હાથ ખરી જાય અને વધારાની આંખ લુપ્ત થઈ જાય, તેના હાથે જ તેનુંમ-રૂ-ત્યુ થશે.

કૃષ્ણના ખોળામાં જતાં જ શિશુપાલના બે વધારાના હાથ ખરી ગયા :

ભીષ્મે શિશુપાલના જન્મની ઘટનાનું વર્ણન કરતાં કહ્યું કે, જ્યારે ઘણા રાજાઓ એક વિચિત્ર બાળકના જન્મના સમાચાર સાંભળીને ચેદિરાજને ત્યાં આવ્યા ત્યારે તેઓએ દરેકનો આદરપૂર્વક સત્કાર કર્યો. દીકરાને બધાના ખોળામાં રમવા આપ્યો, પણ તેના વધારાના હાથ અને આંખ ન ખરી. આજ રીતે ભગવાન કૃષ્ણ અને મહાબલી બલરામ પણ તેમની ફોઈને મળવા ચેદીપુર પહોંચ્યા હતા. પ્રણામ, આદર-સત્કાર પછી જ્યારે ફોઈએ ભત્રીજાને શ્રી કૃષ્ણના ખોળામાં પ્રેમથી આપ્યો ત્યારે તેના બંને વધારાના હાથ ખરી ગયા અને વધારાની આંખ અદૃશ્ય થઈ ગઈ.

આ દ્રશ્ય જોઈ શિશુપાલની માતા વ્યાકુળ થઈ ગઈ. તેમણે કહ્યું કે – હે શ્રી કૃષ્ણ, તમે મારા પુત્રના અપરાધને માફ કરજો અને તેને મા-ર-શો-ન-હીં, ત્યારે શ્રી કૃષ્ણએ તેમને ખાતરી આપી કે ફોઈ, તમે દુઃખી ન થાવ. હું તેના એવા સો ગુનાઓ પણ માફ કરીશ, જેની સજા મ-રૂ-ત્યુ હોય.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.