સુખી રહેવાનો એક જ સિદ્ધાંત છે, તમે જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો, શક્કરિયાની સ્ટોરી દ્વારા સમજો આ વાત.

0
504

કોલેજના એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને શક્કરિયા લઈ આવવાનું ટાસ્ક આપ્યું.

પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતાં હોય એટલા શક્કરિયા લઈ આવજો.

એક એક શક્કરિયાને તમે નફરત કરતાં હોય એનું નામ આપજો.

બીજા દિવસે સ્ટુડન્ટ્સ શક્કરિયા લાવ્યા. કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે શક્કરિયા હતા. કોઈની થેલીમાં પાંચ-સાત શક્કરિયા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. બધાં સ્ટુડન્ટ્સે પ્રોફેસરને પોતપોતાનીથેલી બતાવી.

પ્રોફેસરે કહ્યું કે,બહુ જ સરસ.

હવે તમારે એક જ કામ કરવાનું છે. એક મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે.

બધાં સ્ટુડન્ટ્સે કહ્યું કે,ઓકે.

બે-ત્રણદિવસ તો વાંધો ન આવ્યો પણ પછી શક્કરિયા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે ધીમે શક્કરિયા કોહવાતા ગયા અને તેમાંથીવાસ આવવા લાગી.

આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા શક્કરિયાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ.

પ્રોફેસરે હસીને કહ્યું કે,તમે તમારા દિલમાં આવા શક્કરિયા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે?

નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી, વેર અને બીજા કેટલા શક્કરિયા તમે કેટલાં દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો?

એ કોહવાઈ ગયા છે. વાસ આવેછે. તમે તમારી સાથે જ એ લઈને ફરો છો.

તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે? કારણ કે તમે એ શક્કરિયા ફેંકતા જ નથી.

જાવ, આ શક્કરિયા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ શક્કરિયા પણ ફેંકી દેજો.

સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે એને હટાવી દો. જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો.

દરેક માણસ સારો જ છે, બસ જરુર છે જુની સડેલી વાતો મગજ માથી કાઢી તે માણસની સારાઇ જોવાની.

– સાભાર નિમીષા પટેલ (અમર કથાઓ ગ્રુપ)