સૂર્યદેવની કૃપાથી 14 એપ્રિલ સુધીમાં આ રાશિવાળાને નોકરીમાં પ્રમોશનની સાથે વેપારમાં પણ થશે લાભ, આવકમાં થશે વધારો.
સૂર્યદેવ 15 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરવાથી 5 રાશિઓનું નસીબ બદલાઈ જવાનું છે. તેમના જીવનમાં આવનારી 14 એપ્રિલ સુધીમાં સારા પરિણામ જોવા મળશે. દરેક કામ તેમના હિતમાં થશે. અટકેલ કામ પૂરા થશે અને મહેનતનું ફળ મળશે. આવો જાણીએ તે રાશિઓ વિષે.
આ 5 રાશિઓ માટે સૂર્યનું ગોચર ફાયદાકારક :
વૃષભ : સૂર્યએ તમારી રાશિના અગિયારમા ભાવમાં ગોચર કર્યું છે, જે ખૂબ જ શુભ છે. આ ગોચરથી અચાનક નાણાંકીય લાભ થશે. પ્રોપર્ટીમાં રોકાણ માટે આ સારો સમય છે. પારિવારિક વ્યવસાયમાં લાભ થશે. કેટલાક સારા સોદા કરવા માટે સક્ષમ થશો. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
કર્ક : સૂર્ય તમારી રાશિના નવમા ભાવમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર ખૂબ જ શુભ સાબિત થશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારમાં લાભ થશે અને નોકરીમાં પ્રમોશનની તકો મળશે.
વૃશ્ચિક : સૂર્યએ તમારી રાશિના પાંચમા ભાવમાં પ્રવેશ કર્યું છે. આ ગોચર તમારી રાશિ માટે અનુકૂળ છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. શિક્ષણ અને કારકિર્દીમાં વૃદ્ધિનો યોગ છે.
ધનુ : સૂર્યએ તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કર્યું છે. આ ગોચર સુખ અને સમૃદ્ધિના વિસ્તરણ તરફ લઇ જશે. પારિવારિક વ્યવસાયમાં લાભ થશે. નોકરીમાં આ ગોચર ઉતાર-ચઢાવ વાળું રહેશે. જો કે આવકમાં વધારો થવાની શક્યતા છે.
મીન: સૂર્યએ તમારી રાશિના લગ્ન ભાવમાં ગોચર કર્યું છે. આ ગોચર વ્યવસાયિક જીવનના દૃષ્ટિકોણથી સારું રહેશે. આ સમયગાળો નોકરીયાત લોકો, ખાસ કરીને સરકારી નોકરી કરતા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.