વાત છે ઈ.સ 1996 ની. પ્રસંગ છે બનાસકાંઠા જીલ્લા માં અંબાજી તાલુકા નાં સિધખડી ગામ નો. સરકાર શ્રી માં થી શિક્ષક તરીકે નિમણૂક પામી રાજકોટ જીલ્લાના ગવરીદડ ગામ ના ઈશ્વર નાનજી ભાઇ પટેલ. ઉ.વ 24. તે ગામ ની શાળા માં એક શિક્ષક ની જવાબદારી સાથે પહોંચ્યા. 1800 ની વસ્તી, 95% આદીવાસી સમાજ ની વસ્તી, 80% તદ્દન અભણ અને લગભગ તમામ પુરૂષ દેશી મહુડા ના ડા રુ નાં વ્ય સન વાળા. અંધ શ્રદ્ધા ભારોભાર. દેવ દેવી સામે બ લી પ્રથા તો જાણે સામાન્ય.
સૌરાષ્ટ્ર ના સારા ગામ માં થી ગયેલ પટેલ પરીવાર નો આ દિકરો તો પહેલાં હેબતાઈ જ ગયો, પણ હકારાત્મક વિચારતા એટલો જ વિચાર આવ્યો કે, મને કુદરતે આવી પરીસ્થિતી માં પરિવર્તન લાવવા જ નીમિત બનાવી ને જ મોકલાવ્યો છે, જે થાય તે હરી ઈચ્છા. હું મહેનત કરીશ, બદલી માટે ના કોઈ પ્રયાસ નહીં જ કરૂં.
થોડા ટાઇમ માં સગપણ ની વાત આવી, બધાં જ સગાંવહાલાં બદલી કરાવવા પ્રયત્ન શિલ હતા પણ આતો સરદાર પટેલ નો વંશજ પાટીદાર હતો. અડગ નિર્ણય પર કાયમ રહ્યો. થનાર પત્ની ને આ ગામ ની વાત કરે ને હા ના થઇ જાય પણ ગાંધીજી ને કસ્તુરબા મળે એમ ઈશ્વર ભાઈ ને રેખા બેન નો સંગાથ મળ્યો અને બંને એ લગ્ન કરી પહોંચ્યા કર્મભુમી.
ટોટલ આચાર્ય સાથે ત્રણ શિક્ષક વાળી શાળા. તેમાં એક તો જાણે સરકાર નો જમાઇ કામચોર શાળા એ આવ્યા વગર જ પગાર લે. ગામ અભણ કોઈ ફરીયાદ કરે જ નહીં, પણ ઈશ્વર ભાઈ ને ખુંચે. પોતે જ ફરીયાદી બન્યાં. જીલ્લા અધીકારી ઓ નૂં ધ્યાન દોર્યુ તો જીલ્લા અધીકારી એ કામચોર ને શિક્ષા ની બદલે શિસ્ત ભંગ ની નોટીસ ઈશ્વર ભાઈ ને આપી, તો બીજી તરફ પેલા કામ ચોર એ ગામ ના બે ત્રણ ભોળા ગ્રામજનો ને ઉશ્કેરી ઈશ્વર ભાઈ ને ઢીબેડયા.
13 દિવસ પાલનપુર હોસ્પીટલમાં રહ્યા પણ ઇશ્ર્વર ભાઈ એક ના બે ના થયા. ફરી તેજ ગામ માં ગયા. સમય જતાં વી પી જૈન જેવાં શિક્ષણ પ્રેમી જીલ્લા શિક્ષણ અધીકારી આવ્યા. ઈશ્વર ભાઈ ની નિષ્ઠા જોઈ અને તેમને પેલા કામચોર પ્રત્યે કડકાઇ દર્શાવી. સમય જતાં ગ્રામજનો ને સત્ય સમજાયું. ગામ ના બાળકો નિયમિત ભણવા આવ્યા. બાદ માં સરકાર શ્રી સાથે પત્ર વ્યવહાર કરી શાળા ની નવી ઇમારત બનાવી.
તેમના પત્ની શિક્ષક ના હોવા છતાં નિયમીત પણે ભણવા લાગ્યા. સમય ગયો ગામ ને મહેનત થી 100% વ્યસનમુક્તિ તરફ લઇ ગયા. સરકાર સાથે સંકલન કરી ગામ ને રોડ રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે ની સવલત આપી. ગામ માં 2003 થી સંપુર્ણ બ લી પ્રથા થી મુક્તિ આપી. આજે ગામ ના 23 યુવોનો શિક્ષક છે 23 યુવતીઓ નર્સ છે.
ગામ ઈશ્વર ભાઈ ના પત્ની રેખા બહેન ને છેલ્લી 3 ટર્મ થી બીનહરીફ સમરસ સરપંચ બનાવે છે. ગામ ડા રૂ તો ડા રૂ પણ સોપારી મુક્ત કર્યું છે. તેમના બંને સંતાનો ને શિક્ષણ પણ ગામ ની શાળા માં જ આપ્યું છે, અને ઈશ્વર ભાઈ ના પિતા ના બેસણા માં 80 વાહન ભરાઈ ને માણસો આવ્યા હતા. પાલનપુર ના હિરા બજાર ના જૈન વ્યાપારી સાથે સંકલન કરી ગામ માં નવી હાઇસ્કુલ બની છે. હાલ ગામ ના 5 વિધાર્થી ias / ips ની તૈયારી કરી રહ્યા છે હજી ગામ માં પોતાનું ઘર નથી ભાડે રહે છે.
ગામ માં કોઇપણ ચુંટણી માં 90% જેટલું મતદાન થાય છે. આધાર કાર્ડ બનાવવા ના હોય કે માં અમૃતમ યોજના ના મેડિકલ કાર્ડ ઈશ્વર ભાઈ પોતે જ જવાબદારી લઇ લે છે. છેલ્લાં 3 વર્ષ થી આખા ગામ માં એક વાર સમુહ રસોડે સમુહ લગ્ન થાય છે. હવે તેમને ગામ માં ગામના જ નોકરી કરતા યુવાનો નો એક એક પગાર લઇ ને ગામ માં જીમ ચાલુ કર્યું છે. 1998 પછી ગામ ની એક પણ પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ નથી થયો. ઈશ્વર ભાઈ ની સમજાવટ થી જ સમાધાન કરાવે છે…. આ એક શિક્ષક છે જે ચાણક્ય કહેતા હતા એવા જ …….
કોઇ કોમર્શિયલ બાવા ને વંદન કરતાં આવા ઈશ્વર ભાઈ જેવા શિક્ષક ને મનોમન યાદ કરીએ.
(ફોટો પ્રતીકાત્મક છે.)
પોસ્ટ – Vasim Landa (The-Dust Of-Heaven)