પાપ-પૂર્ણય સાથે છે મહેમાનોનો સંબંધ, તમારી કરેલ આ એક ભૂલ તમને પાપના ભાગીદાર બનાવી શકે છે
હિંદુ ધર્મમાં મહેમાનોનો આતિથ્ય સત્કાર ઘરના લોકો માટે ફરજિયાત કરવાનું કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે ભૂલથી પણ જો કોઈ દુશ્મન આપણા ઘરે મહેમાન બનીને આવી જાય, તો આપણે તેનું પણ સન્માન કરવું જોઈએ. આચાર્ય વિષ્ણુ શર્માએ પંચતંત્રમાં અતિથિ આતિથ્ય વિશે ઘણું લખ્યું છે. વેદથી લઈને મહાભારત સુધી ગૃહસ્થો માટે નિર્ધારિત નિયમોમાં અતિથિનું સન્માન ફરજિયાત કરવામાં આવ્યું છે. જાણો કયા શાસ્ત્રમાં મહેમાન માટે શું કહેવામાં આવ્યું છે…
મહાભારત મુજબ…
જો કોઈ મહેમાન કોઈ ગૃહસ્થ(ઘરમાલિક)ના ઘર માંથી માન-સન્માન વિના જતો રહે છે, તો તેને નજીકના ભવિષ્યમાં તેની આડ અસર ભોગવવી પડે છે. આવા અતિથિ પોતાના પાપ ગૃહસ્થને આપી દે છે અને પુણ્ય લઈને ચાલ્યા જાય છે. એટલા માટે ઘરવાળાઓએ ક્યારેય ભૂલથી પણ મહેમાનનો અનાદર ન કરવો જોઈએ. જ્યારે કોઈ મહેમાન આપણું પુણ્ય જઈને જતો રહે છે, ત્યારે ચોક્કસપણે આપણા જીવન પર અશુભ અસર કરે છે.
ચાણક્ય નીતિ અનુસાર…
આચાર્ય ચાણક્યએ પણ તેમની નીતિઓમાં અતિથિ સત્કાર વિશે ઘણું લખ્યું છે. ચાણક્ય નીતિ મુજબ જો કોઈ દુશ્મન આપણા ઘરમાં આવે તો પણ તેનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ. જ્યાં સુધી તે વ્યક્તિ ઘરમાં રહે ત્યાં સુધી તેની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. શક્ય છે કે તે તમારો મિત્ર બની જશે. જો આમ ન થાય તો પણ તેના મનમાં તમારા પ્રત્યેની દુશ્મનાવટની ભાવના ઘટી શકે છે. શ્રીમદ ભાગવત મુજબ…
શ્રીમદ ભાગવત અનુસાર દરેક વ્યક્તિમાં પરમાત્માનો અંશ હોય છે. જો આ વાત સાચી માનીએ તો જે વ્યક્તિ ઘરે આવી છે તે પણ તે પરમપિતા ભગવાનનો અંશ સ્વરૂપ છે. તેથી જ કહેવાય છે કે ઘરે આવનાર મહેમાનનું સ્વાગત મહેમાન તરીકે નહીં પરંતુ દેવતા તરીકે કરવું જોઈએ. જેઓ આમ નથી કરતા તેઓ અપ્રત્યક્ષ રીતે ભગવાનનું અપમાન કરે છે. ભગવાનનું અપમાન કરવાથી ભવિષ્યમાં આપણા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલા માટે ઘરે આવનાર મહેમાનને આવકારવામાં કોઈ ઉણપ ન રાખવી જોઈએ.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.