મનોચિકિત્સકે એક ડિપ્રેશન ગ્રસ્ત વ્યક્તિને જે જણાવ્યું તે સમજી લેશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહિ થાવ.

0
402

લગભગ 60 વર્ષના એક સજ્જન વ્યક્તિ ડિપ્રેશનથી ગ્રસ્ત હતા… તેથી તેમની પત્નીએ એક મનોચિકિત્સકની એપોઇન્ટમેન્ટ લીધી જે જ્યોતિષવિદ્યા પણ જાણતા હતા. એમને કહ્યું કે તેમના પતિ ભયંકર હતાશામાં છે, કુંડળી પણ જુઓ … અને તેઓએ એમ પણ કહ્યું કે મારા પતિને કારણે મને પણ સારુ લાગતું નથી.

જ્યોતિષે કુંડળી પર ખૂબ ગંભીરતાથી જોયું અને બધું ઠીક લાગ્યું. હવે તેમણે કાઉન્સલિંગ શરૂ કરી. તેમણે કેટલીક અંગત બાબતો પણ પૂછી અને સજ્જનની પત્નીને બહાર બેસવાનું કહ્યું.

સજ્જન બોલતા ગયા…

હું ખૂબ પરેશાનછું … ચિંતાઓથી દબાઈ ગયો છું… કામનું દબાણ … ચિલ્ડ્રન્સ એજ્યુકેશન અને આખા પરિવારનું ટેન્શન … હોમ લોન … કાર લોન … કંઇ મન લાગતું નથી … દુનિયા તો પને સમજે છે … પણ મારી પાસે કાર તૂસ જેટલા સંસાધનો પણ નથી. હું હતાશામાં છું … એમ કહીને આખા જીવન ની કિતાબ જ્યોતિષની સામે રાખી..

વિદ્વાન મનોચિકિત્સકે કંઈક વિચારીને પછી પૂછ્યું …. તમે વર્ગ 10 માં કઈ શાળામાં અભ્યાસ કર્યો છે? સજ્જને તેને તેની સ્કૂલનું નામ કહ્યું …

કાઉન્સેલરે કહ્યું કે તમારે તે શાળામાં જવું પડશે… અને ત્યાંથી, તમારે દસમા વર્ગનું જૂનું રજિસ્ટર લાવવું પડશે.

સજ્જન શાળાએ ગયા … રજિસ્ટર લાવ્યા.. પછી કાઉન્સેલરે કહ્યું કે રજીસ્ટર માંથી તમારા સાથીઓના નામ લખો અને તેમને શોધો અને તેમની હાલની પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરો. ડાયરીમાં બધી માહિતી લખી અને એક મહિના પછી મળવું.

કુલ 4 રજીસ્ટર હતા જેમાં 200 નામો હતા … આખા મહિના દરમ્યાન દિવસ રાત પ્રવાસ કર્યો… નસીબ જોગ તેમના 120 ક્લાસના મિત્રો વિશેની માહિતી એકત્રિત કરવામાં સફળતા મળી.

આશ્ચર્યજનક રીતે તેમાંથી 20% સ્વર્ગ વાસી થયા હતા.

13 છોકરીઓ છૂટાછેડા લીધેલી અથવા અલગ રહેતી હતી.

15% ન સો કરેલા હતા જે વાત કરવા જેટલી હાલત માં પણ નહોતા.

20% મિત્રોની ખબર ન મળી કે તેઓ હાલમાં ક્યાં છે.

5% એટલા એટલા બધા ગરીબ નીકળ્યા કે વાતજ ના પૂછો…

5% એટલા સમૃદ્ધ બન્યા હતા કે જેઓ તેમને મળવા પણ માગતા ન હતા.

કેટલાક લકવાગ્રસ્ત, ડાયાબિટીસ, અસ્થમા અથવા હૃદયના દર્દીઓ હતા, 3-4% અક સમાતમાં તેમના હાથ / પગ અથવા કરોડરજ્જુની ઇજાઓ સાથે પથારીમાં હતા.

2 થી 3% ના બાળકો પાગલ … અથવા નકામા નીકળ્યા.

1 જેલમાં હતો …

અને એક 60 વર્ષની ઉંમરે સેટલ થયો તેથી હવે લગ્ન કરવા માંગે છે …

એક હજુ સેટ થયેલ ન હતો.. બે વાર છૂટાછેડા થયા પછી પણ ત્રીજા લગ્ન ની વેતરણમાં હતો….

મહિના ભર… દસમા વર્ગના બધા રજિસ્ટર ભાગ્યની વેદના જાતેજ જણાવી રહ્યા હતા …

કાઉન્સિલરે પૂછ્યું, હવે મને કહો કે ડિપ્રેશન કેવું છે ? હવે આ સજ્જન ખૂબ સારી રીતે સમજી ગયા છે કે તેમને કોઈ જ બીમારી નથી …પોતે ભૂખે તો મરી નથી રહ્યા, દિમાગ એકદમ સારું છે, કોર્ટ -કચેરી-પોલીસ-વકીલો સાથે કોઈ દિવસ પનારો પડ્યો નથી .. પત્ની અને બાળકો ખૂબ સારા છે, સ્વસ્થ છે, તેઓ પોતે પણ સ્વસ્થ છે. ડોકટર કે દવાખાના સાથે પણ પનારો પડ્યો નથી. પછી તેમને લાગ્યું કે દુનિયામાં ખરેખર ઘણી બધી મુશ્કેલીઓ છે … અને હું ખૂબ જ ખુશ અને ભાગ્યશાળી છું…

વિશ્વાસ કરો … તમારી પાસે જે છે તેટલુંપણ આ દુનિયામાં ખૂબ ઓછા માણસો ના નસીબમાં હોય છે…..એટલા માટે ખુશ રહો, સ્વસ્થ રહો અને હંમેશાં મસ્ત રહો … ઉપરવાળા ને હંમેશા યાદ કરતા રહો.. સંતોષથી મોટી કોઈ સંપત્તિ નથી…. !!

જિંદગી ગુજર જાતી હૈ, એ ઢૂંઢને મેં કી ઢૂંઢના ક્યા હૈ,

અંત મેં તલાશ સિમટ જાતી હૈ, ઉસ સુકુન મેં કી જો મિલા,

વો ભી કહાં સાથ લેકર જાના હૈ.

– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)