એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ.
બહુ કિંમતી ઘડીયાળ હતી, એટલે તે માણસે તેની ઘણી શોધ કરી… પણ, તે ઘડીયાળ ન મળી !
તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા… અને તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું…
તેથી તે માણસે વિચાર કર્યો કે – આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું…
તેણે છોકરાઓને કહ્યું કે – જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે… તેને તે સરસ મજાનું ઇનામ દેશે.
આ સાંભળીને – છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા… અને અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા…
પરંતુ, કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !
ત્યારે… એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું, તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે…
પણ, બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે.
અમીર માણસે તેની વાત માની લીધી.
તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા.
થોડી વાર બાદ – તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી.
તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો.
તેણે છોકરાને પૂછ્યું, “તેં ઘડીયાળ કેવી રીતે શોધી? જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો?”
છોકરાએ જવાબ આપ્યો – મેં કાંઈ કર્યું નથી… બસ શાંત મનથી જમીન પર બેસી ગયો અને ઘડીયાળનો ‘અવાજ’ સાંભળવાની કોશીશ કરવા લાગ્યો.
કેમ કે વાડા માં શાંતિ હતી એટલે મેં તેનો અવાજ સાંભળી લીધો અને તે દિશામાં જોયું!
સારાંશ – એક ‘શાંત’ મગજ ‘સારો’ વિચાર કરી શકે છે, એક ‘થાકેલા’ મગજની તુલનામાં!
માટે દિવસમાં થોડા સમયના માટે આંખો બંધ કરીને, શાંતિથી બેસજો!
પોતાના મસ્તકને શાંત થવા દેજો. પછી જૂઓ! તે આપની જિંદગી કેવી રીતથી ‘વ્યવસ્થિત’ કરી દે છે.
કેમકે – દરેક આત્મા હંમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે. બસ, મનને શાંત કરવુ જ ‘પડકાર’ છે.
આ પડકાર – થોડું અઘરું જરૂર છે પણ ‘અસંભવ’ જરાય નથી.
સંકલન – કર્દમ મોદી, પાટણ (અમર કથાઓ ગ્રુપ)