યાદ આવે ઇ શુરવીરો જે આ યુગમાં નથીં ભાળીયા
કારણ ધરા માટે ધરબાઈ ગયા ઇ આ શુરવીર ના પાળિયા
વાત હતીં ઇ વખતે વટની હવે વટવાળા નથીં ભાળીયા
કારણ વટને ખાતર વેતરાઇ ગ્યાં ઇ આ શુરવીર ના પાળિયા
પરોપકારી પુરા જીવ હતા ઇ જુગમા હવે સ્વાર્થી બધે ભાળીયા
કારણ એક તેતર ને કારણે મુળીમા ઉભા ઇઆ શુરવીરના પાળિયા
વચન તણી કિંમત ઇ કરી જાણતાં હવે વિશ્વાસઘાતી ભાળીયા
મર્યા પછી ચાંપરાજ ને સાંગાએ દિધા દાન ઇઆ શુરવીરના પાળિયા
ગૌ બ્રાહ્મણ પ્રિતપાળ ઇ પુરા હવે ગૌક તલ થતી જોવાવાળા ભાળીયા
ગૌ કારણ વચ્છરાજ ને ભાથીજી થયા ઇઆ શુરવીરના પાળિયા
દાતરી હતી રગે રગમા ઘણી હવે લોભીને લાલચુ ભાળીયા
દાતરી કારણ જગદેવજીએ માથું દિધુ ઈ આ શુરવીરના પાળિયા
પ્રાણ સાટે ઇ પ્રેમકરતા ખરા હવે વસાનાના ભુખ્યા ભાળીયા
પ્રેમ ખાતાર ખીમરો લોડણેલો હીદિધા ઇઆ શુરવીરના પાળિયા
ખાનદાન અને ખંમીરવંતા હતા ઇ હવે એવા થાય એવા નથી ભાળીયા
કહે વિરમદેવ ગામેગામ જોયા આવા દાખલા ઇઆ શુરવીરના પાળિયા
– વિરમદેવસિહ પઢેરીયા
સાભાર નયસત ગોસાઈ (આપણો ઈતિહાસ ગ્રુપ)